SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ અવસ્થા પામ્યા છે, મંદમિથ્યાત્વી બન્યા છે કર્મોનો જુસ્સો ઢીલો થયો છે, તેવા આત્માઓ બાહ્યથી જૈન હોય (આજ્ઞાયોગ પામ્યા હોય) અથવા બાહ્યથી અજૈન હોય (બાહ્ય આજ્ઞાયોગ ન પામ્યા હોય) તો પણ “તીવ્રભાવે પાપ ન જ કરાય” ઈત્યાદિ કર્મોની લધુતાના કારણે જે ઉત્તમ અધ્યવસાય આવ્યો છે તે ઉત્તમ અધ્યવસાય રૂપ અંતરંગ આજ્ઞાયોગ રૂપ અમૃતથી યુક્ત હોવાના કારણે તેઓનાં તે સર્વે પણ અનુષ્ઠાન પરમાર્થને આશ્રયી યોગ જ કહેવાય છે. અર્થાત પરમાર્થથી યોગ જ છે. તે ૨૧ || અવતરણ:-પતwવદનાર્થવાદ = ઉપરોક્ત આ હકીકત આચાર્ય શ્રી વધુ સ્પષ્ટ કરવા માટે જણાવે છે કે - 'तल्लक्खणयोगाओ उ, 'चित्तवित्तीणिरोहओ चेव। तह कुसलपवित्तीए, “मोक्खेण उ "जोयणाओ त्ति ॥ २२ ॥ "तल्लक्षणयोगादेव' उचितानुष्ठानत्वेन योगलक्षणयोगादेव "सर्वत्रोचितानुष्ठानं योगः" इति तल्लक्षणोपपत्तेः । तथा चित्तवृत्तिनिरोधतश्चैव सर्वत्र यथासम्भवम्, योगलक्षणं चैतन्मुख्यम्, “योगश्चित्तवृत्तिनिरोधः" इति वचनात् । उभयत्रान्वर्थयोजनयोपसंहारः। "तथा कुशलप्रवृत्या" तेन प्रकारेण कुशलप्रवृत्त्या हेतुभूतयामोक्षेण सहयोजनात्कारणात्।अत एव प्रवृत्तिनिमित्ताद् યોગ: 1 રૂતિ થાર્થ છે ૨૨ . ગાથાર્થ :- અપુનર્બન્ધકાદિ આત્માઓમાં આવેલાં આ ધર્માનુષ્ઠાનોને યોગ કહેવાનું કારણ એ છે કે શાસ્ત્રોમાં કહેલાં યોગનાં લક્ષણો (૧) અકુશળ એવી ચિત્તની વૃત્તિનો નિરોધ, (૨) કુશળ ચિત્તવૃત્તિમાં પ્રવૃત્તિ, (૩) અને મોક્ષની સાથે આત્માનું યંજન, એમ ત્રણે લક્ષણો યુક્ત હોવાથી યોગ કહેવાય છે. તે ૨૨ || " ટીકાનુવાદ :- અપુનર્બન્ધકાદિ અવસ્થામાં કરાતાં “તીવ્રભાવે પાપાકરણ” ઈત્યાદિ તે તે અનુષ્ઠાનો તે તે કક્ષાએ ઉચિત જ અનુષ્ઠાન છે. આવાં તે તે કક્ષાએ કરાતાં ઉચિત અનુષ્ઠાનો જ ધીરે ધીરે આત્માને મોક્ષાભિમુખ કરે છે અને અત્તે મોક્ષનો યોગ કરાવે છે. તેથી યોગનું લક્ષણ (મોક્ષની સાથે મુંજન કરવું તે) તેમાં ઘટતું હોવાથી સર્વ ઠેકાણે (ચારે પ્રકારના યોગીઓમાં) પોતા પોતાને ઉચિત જે અનુષ્ઠાન તે યોગ કહેવાય છે. કારણ કે ચારે પ્રકારના યોગીમાં પોતપોતાને ઉચિત - I Dગત ન છ0 III Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy