SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ લીધે તેનાથી થતા ફળમાં ભેદ હોય છે. સિંહ પોતાના બચ્ચાને પકડે અને સસલાને પકડે. બન્ને પ્રત્યે ક્રિયા સરખી હોવા છતાં એક પ્રત્યે વાત્સલ્ય છે જે પ્રાણવૃદ્ધિનો હેતુ બને છે અને બીજા પ્રત્યે ક્રૂરતા છે જે હિંસામાં પરિણામ પામે છે. તેવી જ રીતે ધર્મક્રિયા કરતી વખતે પણ બહુમાન કરવા માટેનું યોગ્ય સ્થાન જે વીતરાગ પ્રભુ, તેમના ઉપરના હાર્દિક બહુમાનપૂર્વક આજ્ઞાના આરાધનપૂર્વક કરાતી ધર્મક્રિયા જેટલી કર્મક્ષયનો હેતુ બને છે. તેટલી આજ્ઞાના આરાધન વિના કરાતી ધર્મક્રિયા કર્મક્ષયનો હેતુ બનતી નથી. માટે ભાવના કારણે કર્મક્ષયાદિમાં વિશેષતા હોવાથી આજ્ઞારાધનપૂર્વક આત્મસંપ્રેક્ષણ કરવું. અવતરણ -વિવિવતશાવાદ= એકાત્ત અવસ્થાવાળા ક્ષેત્રના લાભો જણાય છે. पइरिक्के वाघाओ न होइ पाएण' योगवसिया य । जायइ० तहा' पसत्था, हंदि अणब्भत्थजोगाणं ॥७५ ॥ “પરિવ' વિ -પને વ્યાધાતો રમવતિ,પિતા , “mor''= વાદુન, વિક્ષેપનમિત્તામાવાન્ “ગોવશાતા રા''योगाभ्याससामर्थ्यलक्षणा जायते तथा प्रशस्ता, विधिप्रवृत्तेरसद्ग्रहाभावात् । "ત્રિ'= રૂત્યુપર્શને “મનશ્ચયો ના'= માહિત્યોમાનામ્. રૂતિ ગાથાર્થ છે. ૭૬ . ગાથાર્થ :- જે આત્માઓને યોગદશાનો અભ્યાસ નથી એવા પ્રાથમિક યોગાભ્યાસી આત્માઓને એકાન્તમાં આવા પ્રકારના તત્ત્વચિંતનમાં વ્યાઘાત (વિક્ષેપ) થતો નથી, અને પ્રશંસનીય એવી યોગવશિતા પ્રાયઃ પ્રાપ્ત થાય છે. ૭૫ છે. ટીકાનુવાદ:- અપુનર્બન્ધાવસ્થાથી સમ્યગ્દષ્ટિ સુધી આવેલા આ આત્માને ઉપરની યોગદશામાં જવા માટે ગ્રંથકારશ્રીએ આ માર્ગ બતાવ્યો છે કે ભાવના શ્રુતપાઠ કંઠસ્થ કરી, વારંવાર ગુરુજી પાસે તત્ત્વશ્રવણ કરી તે ભાવોથી રંગાયેલા આ અવિરત સમ્યગ્દષ્ટિ આત્માએ ઉપર જવા માટે રાગ-દ્વેષ-મોહને હણવા માટે તે ત્રણેનું સ્વરૂપ, પરિણામ અને વિપાક ઉપર બતાવેલી ગાથાઓ પ્રમાણે હૃદયસ્પર્શી ભાવથી વિચારવું. પરંતુ આ વિચારણા કરતાં વિધિ ખૂબ જ સાચવવી. ડોક્ટરની દવા લેવાય પરંતુ જો તેમણે કહેલી ચરી ન પળાય તો દવાનું ફળ પ્રાપ્ત થતું નથી. તેમ અહીં પણ જો વિધિ ન સચવાય તો ફળપ્રાપ્તિ થતી નથી. વિધિ સાચવવામાં પૂર્વે ગાથા ૬૦ ૬૧ માં અનુક્રમે ૩+૪ એમ સાત પ્રકારની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy