SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ વધુ સ્પષ્ટ કરવા પુનરુક્તિ ન ગણતાં વારંવાર સમજાવવા પ્રયત્ન કર્યો છે. આ પ્રમાણે દ્રવ્યથી અનુવૃત્તિ સ્વભાવવાળું, અને પર્યાયથી વ્યાવૃત્તિ સ્વભાવ વાળું દ્રવ્ય છે. તેથી જ દ્રવ્ય ઉત્પાદ - વ્યય અને ધ્રુવ એમ ત્રણ ધર્માત્મક છે એમ સિદ્ધ થયું. ગ્રંથકારશ્રીએ જ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કહ્યું છે કે – ઘટ - મુગુટ અને સુવર્ણના અર્થી એવા આ બે પુત્રો અને પિતારૂપ ત્રણ) મનુષ્યો નાશ - ઉત્પાદ અને સ્થિતિ દેખતે છતે શોક પ્રમોદ અને માધ્યસ્થતા જે પામે છે તે અવશ્ય સહેતુક જ છે. ૪૭૮ || “દૂધ જ પીવું” આવા નિયમવાળો આત્મા દહીં જમતો નથી, અને દહીં જ જમવું” એવા નિયમવાળો દૂધ પીતો નથી, અને “અગોરસ જ ભોજન કરવું” એવા વ્રતવાળો ઉભય જમતો નથી. તેથી તત્ત્વ (પદાર્થ) ત્રણ ધર્માત્મક છે. | ૪૭૯ || આ જ સારને સમજાવતાં પૂજય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રીએ દ્રવ્ય ગુણ પર્યાયના રાસમાં કહ્યું છે કે – घट मुकुट सुवर्णह अर्थिआ, व्यय उत्पत्ति थिति पेखंत रे । निजरूपइं होवई हेमथी, दुःख हर्ष उपेक्षावंत रे ॥ १३६ ॥ दुग्धव्रत दधि भुंजई नहीं, नवि दूध दधिव्रत खाई रे । नवि दोइं अगोरसवत जिमइं, तिणि तियलक्षण जग थाई रे ॥ १४२ ॥ . ઢાળ નવમી ગાથા - ૩/૯ ૭૩ અવતરણ - મારૂતિ દર વ્યરિયાપુરાદ - ગાથા ૬૦ મીમાં “IિSSUTH ” કહ્યું હતું. તેનો ભાવાર્થ એ છે કે વીતરાગ પરમાત્માની આજ્ઞાને અનુસાર એકાન્તમાં સમ્ય ઉપયોગ પૂર્વક આ રાગાદિના વિષયોનો વિચાર કરવો તેમાં “આજ્ઞાપૂર્વક” એવી જે વિધિ જણાવી તેનું વ્યાખ્યાન કરતાં જણાવે છે કે - आणाए' चिंतणम्मी, तत्तावगमो णिओगओ' होति । भावगुणागरबहुमाणओ, य कम्मक्खओ परमो ॥ ७४ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001099
Book TitleYogashatak
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1994
Total Pages324
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy