SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧ : ગાથા-૪ ૧૭ સેવીને પણ જ્ઞાનાભ્યાસાદિ રત્નત્રયીની પ્રાપ્તિ કરવી તે બીજો અપવાદમાર્ગ પણ શુદ્ધમાર્ગ છે. આધાકર્માદિક દોષવાળો આહારગ્રહણ કરવાથી દ્રવ્ય આશ્રવ જરૂર થાય છે. પરંતુ રસાસ્વાદ માણવાની મનોવૃત્તિ ન હોવાથી કાષાયિક પરિણામના અભાવે તીવ્ર સ્થિતિબંધરસબંધ થતા નથી. એટલે “કુરગડુઋષિની જેમ કર્મ બંધ થતો નથી” એમ જ કહેવાય છે. માત્ર કાયિકક્રિયાજન્ય કર્મ આવે છે એટલે આશ્રવ થાય છે. પરંતુ આશ્રવના પરિણામ ન હોવાથી ચીકણો બંધ થતો નથી. (ક્રિયાએ કર્મ, પરિણામ એ બંધ એ પદ અહીં લાગુ પડે છે.) તેથી ઉપાધ્યાયજી મહારાજશ્રી કહે છે કે ! ય િઆ યોગમાં, એટલે કે દ્રવ્યાનુયોમાં વિદ્યારિરૂપ જ્ઞાનયોગડું દ્રવ્યાનુયોગનો વિચાર કરવા સ્વરૂપ જ્ઞાનયોગમાં, નો સં-૩માં સેવારૂપ તારૂં જો રંગ લાગી જાય. તન્મયતા આવી જાય એટલે કે પૌગલિક ભાવો પ્રત્યે અસંગસેવા (અનાસક્તિ ભાવ) સ્વરૂપ જ્ઞાનયોગની લીનતા આવી જાય તો, સમુદ્વામિથ્ય જ્ઞાનાભ્યાસ રતાં રાત્ માથામતિ રોપ નાડું સાધુઓની સાથે સમુદાયમાં રહીને જ્ઞાનાભ્યાસ કરતાં કદાચ આધાકર્માદિ દોષો લાગી જાય, તો દિ ચરિત્રમંા હો, ભાવ-શુદ્ધિ વૈવંત છડું તો પણ ચારિત્રનો ભંગ થતો નથી. કારણકે આશયમાં રહેલી ભાવશુદ્ધિ જ (ઘણી) બળવાન છે. રૂમ પલ્પમાડું મળવું, તથા સર પાસ૬ સમન્નિાં આ પ્રમાણે પંચકલ્પભાષ્યને વિષે કહેલું છે. અને સદ્ગુરુજી પાસે મેં સાંભળેલું છે. પ્રતિ વ વધ્યાર્થિનો અને શાન્ત શાસ્ત્રડું હ્યો છડું આ કારણથી જ આહારના કધ્યાકધ્યની બાબતમાં અનેકાન્તમાર્ગ શાસ્ત્રમાં કહ્યો છે. સંયમની સાધનામાં સહાયક થાય, સુરક્ષા કરનાર બને, વૃદ્ધિ-પુષ્ટિ કરનાર બને તે કષ્ય કહેવાય છે. અને સંયમની સાધનામાં બાધક બને તે અકલ્પ કહેવાય છે. આ નિશ્ચયનયની દૃષ્ટિએ વ્યાખ્યા છે. આધાકદિ દોષોથી રહિત જે આહાર હોય તે શુદ્ધ આહાર કહેવાય છે. અને આધાકર્માદિ દોષોથી સહિત જે આહાર હોય તે અશુદ્ધ આહાર કહેવાય છે. આ વ્યવહારનયની દૃષ્ટિએ વ્યાખ્યા છે. હવે આધાકર્માદિ દોષોથી રહિત હોવાથી જે આહાર શુદ્ધ છે. છતાં જો રસાસ્વાદાદિ મોહની પુષ્ટિ કરવા દ્વારા સંયમમાં બાધક બનતો હોય તો તે આહાર અકથ્ય બની જાય છે. અને આધાકર્માદિ દોષોથી યુક્ત હોય એવો જે આહાર છે કે જે સામાન્યથી અશુદ્ધ આહાર કહેવાય છે. છતાં પણ જ્ઞાન યોગાદિમાં રંગત જમાવેલા મુનિને સંયમની સાધનાનો હેતુ બનતો હોય ત્યારે કથ્ય કહેવાય છે. એટલે કે સામાન્યથી ઉત્સર્ગમા જે શુદ્ધ આહાર તે કથ્ય, અને જે અશુદ્ધ આહાર તે અભ્ય, પરંતુ અપવાદમાર્ગે શુદ્ધ આહાર પણ સંયમની સાધનામાં બાધક થાય ત્યારે
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy