SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ ઢાળ-૮ : ગાથા-૧૦-૧૧ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ इमई करतां-पर्यायार्थ, द्रव्यार्थ, नय जो तुम्हे अलग दीठा, अनइं ९ नय कहिया, तो अर्पित-अनर्पित नय अलगा करीनइं ११ नय किम न वांछया ? |૮-૧૦ | હે દિગંબર દેવસેનાચાર્યજી ! આ રીતે ૭ ના ૯ નયો કરતાં પર્યાયાર્થિકનય અને દ્રવ્યાર્થિકનય જો તમે સાતમાં સમાયેલા હોવા છતાં તેનાથી અળગા કરીને (એટલે જુદા કરીને) જુઓ છો. અને તેથી ૯ નયો છે આમ કહો છો તો પછી તેમાં સમાયેલા અર્પિતનય અને અનર્પિતનયને અળગા કરીને ૧૧ નયો કેમ ઈચ્છતા નથી (કહેતા નથી) ? તમારો તો એવો સિદ્ધાન્ત છે કે જે વ્યાપ્યભેદોમાં સમાયેલા વ્યાપકને પણ અલગ ગણવું. અને સંખ્યા વધારવી. તો સાતમાં સમાયેલા ૨ નયને જો અળગા કરીને ૯ કરો છો તો ૯માં સમાયેલા બીજા બેને જુદા કરીને ૧૧ નો પણ કહોને? ત્યાં તમને શું દોષ દેખાય છે. ? પ્રશ્ન- અર્પિતનય અને અનર્પિતનય એટલે શું ? ઉત્તર- અર્પિત એટલે વિશેષ, અને અનર્પિત એટલે સામાન્ય. સર્વે પદાર્થોમાં સામાન્ય અને વિશેષ એમ બન્ને ભાવો રહેલા છે. સામાન્ય એટલે સમાનતા-સદૃશતાએકતા, કાળભેદે પ્રતિસમયે બદલાતા પર્યાયોમાં જે તેના તે દ્રવ્યની સમાનતા-એકતા છે તે ઉર્ધ્વતાસામાન્ય છે. અને ક્ષેત્રભેદે રહેલી અનેક વસ્તુઓમાં ઘટ-ઘટપણે અથવા પટ-પટ પણે જે સમાનતા છે. તે તિર્યસામાન્ય છે. સામાન્ય અને વિશેષ આ બે પ્રકારના ધર્મોમાંથી સામાન્ય વડે પ્રવૃતિ-નિવૃત્તિના વ્યવહાર થતા નથી તેથી તેની અર્પણા-(વિવક્ષા-) પ્રધાનતા કરાતી નથી. તેથી તેને અનર્પિત કહેવામાં આવે છે. અને પ્રત્યેક વસ્તુઓમાં રહેલી ભિન્નતાને (ઈતર વ્યાવર્તક ધર્મને) વિશેષ કહેવાય છે. તે પ્રવૃત્તિ-નિવૃત્તિનો હેતુ હોવાથી તેની અર્પણા-પ્રધાનતા કરાય છે. તેથી તેને અર્પિત કહેવાય છે. આ બે નયોની પણ તમારે ભિન્ન પ્રરૂપણા કરીને ૧૧ નયો કહેવા જોઈએ. / ૧૧૮ || हिवइ, इम कहस्यो जे “अर्पितानर्पितसिद्धेः" इत्यादि तत्त्वार्थ सूत्रादिकमांहिं, जे अर्पित-अनर्पित नय कहिया छइ,-ते अर्पित कहतां विशेष कहिइं. अनर्पित कहतां सामान्य कहिइं. अनर्पित संग्रहमांहिं मिलई, अर्पित व्यवहारादिक विशेषनयमांहिं मिलई. હે દિગંબરાચાર્ય દેવસેનજી ! હવે કદાચ તમે આમ કહેશો કે “કર્ષિતાનસિક” ઈત્યાદિ તત્ત્વાર્થાધિગમ સૂત્ર વિગેરે મહાગ્રંથોમાં છે કે અર્પિતનય અને અનર્પિત નય કહેલા છે. અને અમારે તે કહેવા જોઈએ અને તેથી અમારે ૧૧
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy