SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૫ : ગાથા-૬ ૨૧૭ સ્વરૂપ જણાવ્યું ન કહેવાય. અન્યથા જણાવ્યું કહેવાય. તે માટે તે નય સુનય ન રહેતાં દુર્નયપણાને પામે છે. / ૫૯ II એહ વિશેષાવશ્યકઈ, સમ્મતિમાં પણિ ધારો રે | ઈમ નયથી સવિ સંભવઈ, ભેદ-અભેદ-ઉપચારો રે | જ્ઞાનદૃષ્ટિ જગિ દેખિઈ છે પ-૬ | ગાથાર્થ– આ વિષય વિશેષાવશ્યક ભાષ્યમાં તથા સમ્મતિતર્કમાં પણ અત્યંત સ્પષ્ટપણે કહેલો છે. આમ નયોથી જ ભેદ અને અભેદનો બોધ મુખ્યવૃત્તિથી અને ઉપચારથી સર્વ સંભવે છે. / ૫-૬ .. ટબો- એક અર્થ વિશેષાવશ્યકઇ, તથા સમ્મતિમાંહિં છઈ. ઈમ ધારો, ગાથાदोहिं वि णयेहिं णीअं, सत्थमुलूएण तह वि मिच्छत्तं । जं सविसयप्पहाणतणेण, अण्णुण्णनिरवेक्खा ॥ २१९५ ॥ स्वार्थग्राही इतरांशाप्रतिक्षेपी सुनयः, इति सुनयलक्षणम् । स्वार्थग्राही इतरांशप्रतिक्षेपी दुर्नयः, इति दुर्नय लक्षणम् ॥ ઈમ નથી-નયવિચારથી, ભેદ-અભેદ ગ્રાહ્ય વ્યવહાર સંભવઈ. તથા નયસંકેતવિશેષથી ગ્રાહકવૃત્તિવિશેષરૂપ ઉપચાર પણિ સંભવઈ. તે માટઈં ભેદ-અભેદ તે મુખ્યપણઈ પ્રત્યેકનયવિષય, મુખ્યામુખ્યપણઈ ઉભયનયવિષય, ઉપચાર-તે મુખ્યવૃત્તિની પરિ નયપરિકર પણિ વિષય નહીં. એ સમો માર્ગ શ્વેતાંબરપ્રમાણ-શાસ્ત્રસિદ્ધ જાણવો. ૫-૬ II વિવેચન કોઈ પણ નય પોતાને માન્ય વિષય મુખ્યવૃત્તિથી જણાવે અને બીજા નયનો વિષય ઉપચારથી (ગણતયા) જણાવે તો જ તે નય, સુનય કહેવાય છે. અન્યથા દુર્નય કહેવાય છે. એટલે કે કોઈ પણ નય જેમ પોતાને માન્ય વિષય કહે છે તેમ ઈતરનયને માન્ય વિષય ગૌણતાએ પણ જો જણાવે તો જ એકાન્તવાદ ન થવાથી સુનય જાણવો. આ જ વાત વિશેષાવશ્યકભાષ્યમાં અને સમ્મતિતર્ક જેવા મહાગ્રંથોમાં કહી છે. તેની સાક્ષી આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે एह अर्थ विशेषावश्यकई तथा सम्मतिमांहिं छइ. इम धारो गाथा
SR No.001096
Book TitleDravya Gun Paryaya no Ras Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2005
Total Pages444
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy