SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાની ભૂમિને જોઈ ન હોય, પૂંજી ન હોય, બરાબર જોઈ-મૂંજી ન હોય, એમ જે કંઈ વિપરીત કર્યું હોય; (૪) પ્રમાદાચરણસેવન = પૌષધમાં પ્રમાદ કર્યો હોય, ઘણી આળશ ઊંઘનિંદા કરી હોય; (૫) ભોજનાભોગ = તે દિવસના, અથવા પારણાના દિવસના ભોજનની ચિંતા કરી હોય. આ પ્રમાણે આ વ્રતના પાંચ અતિચારોમાં લાગેલા દોષોની હું નિંદા કરું છું કે ૨૯ | “સચ્ચિત્તે નિકિખવણે, પિહિણે વવસ મચ્છરે જેવા કાલાઈકમાણે, ચઉલ્થ સિફખાવએ નિન્દા ૩૦ || અતિથિસંવિભાગ” નામના બારમા વ્રતમાં અર્થાત્ ચોથા શિક્ષાવ્રતમાં જે જે અતિચારો લાગ્યા હોય, તેનું આ ગાથામાં વર્ણન છે. એક રાત્રિ-દિવસનો ઉપવાસપૂર્વક પૌષધ કરી બીજા દિવસે પારણામાં એકાસણું કરવું. તે એકસણાના ટાઈમે કોઈ અતિથિને (સાધુમહારાજને, સાધ્વીજીમહારાજને વહોરાવી, તે ન હોય તો ઉત્તમ વ્રતધારી શ્રાવકશ્રાવિકાને) જમાડી પછી પોતે જમવું તે અતિથિસંવિભાગવ્રત કહેવાય છે. અતિથિ = તિથિ જોઈને ન ચાલે, પરંતુનદીના વહેણની જેમ ગામાનુગામ વિચરતા વિચરતા ગમે ત્યારે જાણ કરાવ્યા વિના આવી જાય તે અતિથિ તેમની સંવિભાગ એટલે ભક્તિ કરવી તે અતિથિસંવિભાગવત કહેવાય છે. પારણાના દિવસે એકાસણાના ટાઈમે સાધુ-સાધ્વીજીને વહોરવા બોલાવ્યા હોય ત્યારે નીચે મુજબ પાંચ અતિચારો સેવાયા હોય તો તેની હું નિંદા કરું છું. (૧) સચ્ચિત્તનિક્ષેપ = સાધુને આપવા યોગ્ય વસ્તુ સચિત્ત વસ્તુ ઉપર મૂકી હોય. (૨) સચ્ચિત્તપિધાન = સાધુને આપવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકી દીધી હોય, આ રીતે સચિત્ત વસ્તુ ઉપર અને નીચે વહોરાવવા ૧ સંવિભાગ = ભક્તિ કરવી પતિ છે . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001094
Book TitleJain Tattva Prakasha 3rd Edition
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, 2 Pratikraman Arth, Vivechan, & Paryushan
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy