SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૬૨ યોગદૃષ્ટિ સમુચ્ચય ૪૭૩ હોય છે. આ કારણથી જ આ દૃષ્ટિમાં સદાકાળ અચુમદ્ દોષ હોતો નથી. અને હિતોદય કરાવે તેવી મીમાંસા (ગુણ) હોય છે. તે ૧૬૨ | ટીકા “ક્રાન્તાથ” દષ્ટી, “તત્તરવિત” નિત્યનાદ્ધિ, ““માં प्रीतये" भवति, न तु द्वेषाय । तथा "धारणा परा" प्रधाना चित्तस्य તેશવચહ્નક્ષUT | યથાવત–શવત્તિી થારVIT રૂ-૨ પતંગ્યો “મતો” થાRUતઃ | “અત્ર” દો, “નાચમુન્નચિત્ર :” | તલા તત્તપ્રતિમાસાયોર્ તથા “નિત્ય'' સર્વાનું, “મીમાંસતિ' કવિરારંભિક્ષા | મત વાદ-હિતા '' સથ જ્ઞાનપત્રનર્વેિન છે દ્રા વિવેચન - કાન્તા દૃષ્ટિ આબે છતે પૂર્વે ૧૫૪ ગાથામાં સ્થિરાદષ્ટિમાં આવેલ નિત્યબોધ વગેરે ગુણો વિશેષ સ્વરૂપે ચાલુ જ રહે છે. દષ્ટિની નિર્મળતા વધવાના કારણે જ્ઞાનગુણ પણ વધારે નિર્મળ બને છે. આ સૂક્ષ્મબોધ વિશિષ્ટ તર્કયુક્ત થવાથી બીજાને સમજાવવામાં અત્યન્ત પ્રભાવશાળી થાય છે. તેથી આ બોધ દ્વારા પરજીવોને તત્ત્વ સમજાવવામાં ઘણી જ સફળતા મળે છે તે કારણથી પરજીવોને પણ યોગીઓના આ બોધ પ્રત્યે પ્રીતિ અને બહુમાન ઉપજે છે. પરંતુ દ્રષ, અદેખાઈ કે નારાજગી પેદા થતી નથી. બોધ નિર્મળ અને સારો હોવાથી મુખથી એવી સુંદર વાણી નિકળે છે કે જે વાણી પર પ્રીતિનું જ કારણ બને. તથા યોગ સાધના માટેની આ દૃષ્ટિ અતિશય નિર્મળ બનવાથી શ્રેષ્ઠ એવું ધારણા નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે. જે ધ્યેય સિદ્ધ કરવું છે. તે ધ્યેયવાળા સ્થાનમાં ચિત્તનું ચોટી જવું, તેમાં ચિત્તનું તન્મય થઈ જવું, તેને ધારણા કહેવાય છે. પાંતજલ ઋષિના યોગસૂત્રમાં કહ્યું છે કે-શવશ્વશિત્તર્ણ ઘારરૂ-૨ દેશમાં (ધ્યેયવાળા સ્થાનમાં) ચિત્તનું બંધાઈ જવું-ચોટી જવું. ઇષ્ટસાધ્યની સાધનામાં મનની લીનતા થવી તે ધારણા કહેવાય છે. યોગસાધનાની ઈષ્ટ ક્રિયામાં ચિત્તની ધારણા (સ્થિરતા) પ્રાપ્ત થઈ છે. આ કારણથી જ આ દૃષ્ટિમાં “અજમુ” દોષ હોતો નથી. એટલે કે યોગસાધના માટેની આ ઇષ્ટ ક્રિયા વિના અન્યત્ર (અન્ય કોઈપણ ક્રિયામાં) તે કાળે હર્ષ થતો નથી. કારણ કે આ યોગસાધના માટે કરાતી જે ક્રિયા છે. તેમાં જ ચિત્ત અત્યન્ત સ્થિર બન્યું હેવાથી તદ્દા તે કાળે તો તે અન્ય ક્રિયાઓ કરવાની ઉત્સુકતાની પ્રતિમાસ ફુરણા થવાનો જ અભાવ છે. અન્ય ક્રિયાની ફુરણા થતી જ નથી. માટે અન્યમુદ્ દોષ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy