SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા : ૭૪ છે માટે તેના કરતાં કંઈક ગૌણ હોવાથી તેનો મટિ શબ્દથી નિર્દેશ કર્યો છે. જો જ્ઞાની ગણાતા વિદ્વાનોને પણ સ્ત્રી જ મુખ્ય બંધહેતુ થતો હોય તો શેષ અલ્પજ્ઞ જીવોને તો તે સ્ત્રી મુખ્ય બંધહેતુ બને જ. તેમાં તો કહેવું જ શું ? તથા ઘર અને ઘરની શેષ સર્વ ભોગ સામગ્રી સ્ત્રીના કારણે મળે છે અથવા મેળવવી પડે છે, તેથી પ્રધાનતાએ સ્ત્રીનો ઉલ્લેખ કર્યો છે. કવિએ કહ્યું છે કે- ગૃતિ ગૃહમુતે, ન તુ પૃદં ગૃહમ્ I૭૩ तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थ्यादिलक्षणम् । अन्वर्थयोगतस्तन्त्रे वेद्यसंवेद्यमुच्यते ॥ ७४॥ ગાથાર્થ = સારી રીતે સ્થિર રહેતું હોવાથી તે (આશયસ્થાન)ને “પદ” કહેવાય છે. તે પદ ભિન્નગ્રંથી આદિ લક્ષણવાળું છે. તથા વ્યુત્પત્તિથી સિદ્ધ થતા અર્થનો તેમાં યોગ હોવાથી યોગસંબંધી શાસ્ત્રમાં તે પદને “વેદ્યસંવેદ્યપદ” કહેવાય છે. જે ૭૪ ટીકા - “તનિતિ” પવનતિમાશયસ્થા “સાધ્વવાના” રિશ્વેતાत्सम्यगवस्थानेन, “भिन्नग्रन्थ्यादिलक्षणं-भिन्नग्रन्थिदेशविरतिसर्वविरतिरूपम् । મિત્કા-“મન્સઈયોતિઃ” મન્વર્થોન, “તન્ને” સિદ્ધાને “વોઇસંવેમુદ્યતે' वेद्यं संवेद्यतेऽनेनेति कृत्वा ॥७४॥ વિવેચન :- તે (આશયસ્થાન)ને પદ કહેવાય છે. આ ગાથાનો પૂર્વની ૭૩મી ગાથા સાથે સંબંધ છે. ૭૩મી ગાથામાં પ્રિન્ શબ્દ (વા) છે યાત્ પરસ્પર સંબંધવાળા હોય છે. તેથી સ્ત્રી આદિ ભાવો અપાયાદિનું કારણ છે એમ જે આશયસ્થાનમાં જણાય છે. તથા શાસ્ત્રાનુસારી નિર્મળ એવી અપ્રવૃત્તિની બુદ્ધિપૂર્વક પણ જે આશયસ્થાનમાં અનુભવ થાય છે. તે આશયસ્થાનને “પદ” કહેવાય છે. એમ પૂર્વની ગાથા સાથે સંબંધ કરીને અર્થ કરવો. સંસ્કૃત ભાષામાં પદ્ ધાતુ છે. તેનો અર્થ ઉભા રહેવું. સ્થિર રહેવું, એવો થાય છે પાત્ પતશ્રાશયસ્થાન=આ વ્યુત્પત્તિ બતાવી છે. પદનક્રિયા (સ્થિર રહેવાની ક્રિયા) હોવાથી આશયસ્થાનને પદ કહેવાય છે. સાધ્વવસ્થાના–એ શબ્દથી પનો પ્રાયોગિક અર્થ જણાવ્યો છે. આ આશયસ્થાન સારી રીતે સ્થિર રહેતું હોવાથી પદનક્રિયાયુક્ત (સ્થિર રહેવાની ક્રિયાયુક્ત) છે માટે હું કહેવાય છે. આ આશયસ્થાન સારી રીતે સ્થિર કેમ રહે છે? તેનો ખુલાશો પરિચ્છેદત્યિવસ્થાનેર શબ્દથી કર્યો છે રિઓર એટલે બોધ-નિર્ણય, હેયનો હેય તરીકે અને ઉપાદેયનો ઉપાદેય તરીકે નિર્ણયાત્મક બોધ થયેલ હોવાથી આ આશયસ્થાન સચ્ચ=સારી રીતે-દીર્ધકાળ સુધી અવસ્થાને સ્થિર રહેનાર છે. માટે આ આશયસ્થાનને પદ્દ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy