SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ગાથા : ૫૨ યોગદૃષ્ટિ સમુચ્ચય કાળાન્તરે ધોરીમાર્ગ ઉપર લઈ જાય. તેવા રસ્તે ચાલતા માર્ગપતિત કહેવાય છે. દૃષ્ટિ બદલાયા પછી એવા વાંકાચૂકા અને આડા કે અવળા પણ ટૂંકા એવા રસ્તે ચાલવું કે જે રાજમાર્ગે ચડાવે તેવું ગમન તે માર્ગપતિત. અહીં પતિત શબ્દનો અર્થ માર્ગને પામેલો = માર્ગ તરફ વળેલો એમ કરવો. (૩) ત્રીજી દૃષ્ટિમાં જીવ માર્ગાનુસારી બને છે= બીજી દૃષ્ટિમાં આવેલા ખાડા ટેકરાવાળા વાંકા - ચૂકા અને ખેતરોને ખુંદતા આડા-અવળા રસ્તે થઈને ટૂંકા રસ્તે ચાલતા જ્યારે કેડી રસ્તો પકડાય છે. કે જે કેડી રસ્તો કાળાન્તરે ધોરીમાર્ગ ઉપર લઈ જાય છે. તેથી તે કેડીમાર્ગને જે અનુસરવું તેને માર્ગાનુસારી કહેવાય છે. હવે ઘણા ભયો ઓછા થઈ ગયા છે. કેડી રસ્તો પકડાયો છે. કેડી રસ્તો હાથ લાગી ગયો છે. તે ધોરીમાર્ગે ચડાવશે જ. આ રીતે આ ત્રણ શબ્દોના અર્થો જાણવા. સંક્ષેપમાં દષ્ટિ માત્ર બદલાય તે માર્ગાભિમુખ, ધોરીમાર્ગે લઈ જનારા માર્ગ તરફ ગમન થાય તે માર્ગપતિત, અને તેના દ્વારા પગદંડીનો રસ્તો હાથ લાગે ત્યારે તે માર્ગે ચાલવું તે માર્ગાનુસારી એમ અહી પણ સમ્યકત્વ સ્વરૂપ ધોરીમાર્ગ પકડાતાં પહેલાં અનાદિકાલીન મોહાધીન આ જીવની આ રીતે દૃષ્ટિઓ બદલાતાં ધોરીમાર્ગ રૂપ સમ્યત્વમાં આવવાનું કાલાન્તરે શકય બને છે /પ૧// કર્થવ શુકૂણામાદ– આ જીવને “તત્ત્વશુશ્રુષા” નામનો ગુણ કેવો હોય છે.! તે સમજાવે છે कान्तकान्तासमेतस्य, दिव्यगेयश्रुतौ यथा । यूनो भवति शुश्रूषा, तथाऽस्यां तत्त्वगोचरा ॥५२॥ ગાથાર્થ = મનોહર (રૂપવતી) સ્ત્રીથી યુક્ત એવા યુવાન્ પુરુષને દિવ્ય ગાયન સાંભળવામાં જેવી શુશ્રુષા હોય છે. તેવી તત્ત્વવિષયક શુશ્રુષા આ દૃષ્ટિમાં જીવને હોય છે. | પર ટીક - “ઋત્તાનાસતિય'' મનીપ્રયતમ યુવતી, “વિશ્વ यथा" किंनरादिगेयश्रुतावित्यर्थः यूनो-वयःस्थस्य भवति शुश्रूषा-श्रोतुमिच्छा तद्गोचरैव तथाऽस्यां-दृष्टौ व्यवस्थितस्य सतः तत्त्वगोचरा तत्त्वविषयैव शुश्रूषा મતિ ૧૨ વિવેચન :- આ ત્રીજી બલાદૃષ્ટિમાં આવેલા જીવને “તત્ત્વ સાંભળવાની ઈચ્છા” (અર્થાત્ શુશ્રુષા) કેવી હોય છે તે એક દૃષ્ટાન્ત આપીને સમજાવે છે. કોઈ એક ભર યો. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy