SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા : ૨૫ ગ્રંથકારશ્રી હરિભદ્રસૂરિજી મહારાજ યોગબીજનું જે વર્ણન સમજાવી રહ્યા છે. તેમાં “અન્ય દર્શનકારો પણ આમ જ કહે છે” એમ કહીને તેઓનો મત ટાંકતાં સાંખ્યદર્શનના અનુયાયી અને યોગાચાર્ય તરીકે અતિશય પ્રસિદ્ધ એવા પાતંજલઋષિના પાઠની સાક્ષી આપતાં જણાવે છે કે અન્ય દર્શનના યોગાચાર્યોએ પણ પોતાના શાસ્ત્રોમાં આ પ્રમાણે કહ્યું છે. યોગદશાની પ્રાપ્તિમાં મૂળભૂત કુશલચિત્તાદિ રૂપ બીજ કેવું હોય છે. તે બીજ (એટલે યોગના બીજ) ભૂત એવું ચિત્ત આવા પ્રકારનું હોય છે. (૧) સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલા આત્માને કંઈક ઉપર આવવાના વિકાસ સ્વરૂપ છે. (૩ન્મનન ઉપર આવવાના, કામોના વિકાસ સ્વરૂપ) સમુદ્રમાં ડૂબેલા માણસને જેમ કંઈ દેખાતું નથી, ચારે તરફ પાણી જ પાણી દેખાય છે. અને તેથી નીકળવાની કે તરવાની આશા મૃતપ્રાય: થયેલી છે. હતાશારૂપ છે. તેવામાં પાણીની ઉપરની સપાટીએ આવવાનું કદાચ મહાપ્રયત્ન થઈ જાય, તો જગત્ દેખાય છે. આનંદ આનંદ થાય છે. નીકળવાની કે તરવાની કંઈક આશા બંધાય છે. તેવી જ રીતે સંસારમાં ડૂબેલા આ આત્માને વિષયસુખો ઘણાં જ પ્રારાં છે. મોહાંધતા બલવત્તર છે એટલે આત્મતત્ત્વ દેખાતું જ નથી, સંસાર વધારતો જ જાય છે. નીકળવાની કે તરવાની તો વાત જ કેવી? તેવામાં તથાભવ્યત્વનો પરિપાક થવાથી આવું ઉત્તમ યોગબીજ પ્રાપ્ત થાય છે. સારાસારની ભેદ રેખાનું ભાન થાય છે. અને સમજાય છે કે વિષયસુખો અને સંસાર એમ બન્ને વિષ તુલ્ય છે. આમ લાગવાથી આત્મતત્ત્વનું કંઈક દર્શન થાય છે. આનંદ આનંદ વ્યાપી જાય છે અને સંસાર તરાશે, પૂર્ણ આત્મતત્ત્વ પ્રાપ્ત કરાશે, એવી આશા બંધાય છે. માટે આ યોગબીજ સંસારસમુદ્રમાં ડૂબેલા આત્માને કંઈક ઉપર આવવાના સ્વરૂપવાળું અને પોતાના આત્મતત્ત્વના આંશિક વિકાસ સ્વરૂપ છે. (૨) સાંખ્યદર્શનની દૃષ્ટિએ પુરુષ અને પ્રકૃતિ એમ મૂલ બે તત્ત્વ છે. પુરુષ અકર્તા-અભોક્તા છે તથા જ્ઞાતા-દૃષ્ટા છે. પરંતુ સત્ત્વ-રજસ-તમસની બનેલી પ્રકૃતિ જ કર્તા-ભોક્તા છે. તેનું બલ ઘણું છે. તેથી તે પ્રકૃતિ વિષયસુખોની આસક્તિવાળી હોવા છતાં પણ આત્મામાં તેનું પ્રતિબિંબ પડવાથી આત્મા ઘણી આસક્તિવાળો લાગે છે. જ્યારથી આ યોગબીજ પ્રાપ્ત થાય છે ત્યારથી તે વિષય સુખોની તત્સવિતતે આસક્તિનો જે અતિશય છે તેને શિથિલ કરનાર આ યોગબીજ બને છે. વિષયસુખની આસક્તિ ઢીલી થાય છે. કોઈ કોઈ પુસ્તકોમાં તત્સવિતશય દન્ય ૪ ને બદલે તાલવ્ય ન પણ પાઠાન્તર રૂપે જોવા મળે છે. ત્યારે એવો અર્થ કરવો કે તત્ તે પ્રકૃતિની વિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy