SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ગાથા : ૨૬ છઠ્ઠો કર્મગ્રંથ ૪, ૨૫ના બંધે ૨૦ અને ૨૬ના બંધે ૧૬ મળીને એકેન્દ્રિય પ્રાયોગ્ય કુલ ૩ બંધસ્થાનક અને ૪૦ બંધમાંગા જાણવા. વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫, ૨૯, ૩૦ કુલ ૩ બંધસ્થાનક અને ૫૧ બંધભાંગા. ૨૫નું બંધસ્થાનક અપર્યાપ્ત વિકસેન્દ્રિય પ્રાયોગ્ય છે અને ૨૯, ૩૦ આ બે બંધસ્થાનક પર્યાપ્ત વિકસેન્દ્રિય પ્રાયોગ્ય છે. અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩માં ઔદારિક અંગોપાંગ અને છેવટું સંઘયણ ઉમેરવાથી અપર્યાપ્ત વિકસેન્દ્રિય પ્રાયોગ્ય ૨પનું બંધસ્થાનક બને છે. કારણ કે વિક્લેન્દ્રિય જીવોને શરીરમાં અંગ અને ઉપાંગ તથા છેવટ્ટા સંઘયણની રચના હોય છે. તેથી ત્યાં ઉત્પન્ન થનારા મિથ્યાદૃષ્ટિ તિર્યંચો અને મનુષ્યો ૨૩ પ્રકૃતિ કરતાં આ બે પ્રકૃતિ વધારે બાંધે છે. ત્યાં ત્રસ, બાદર, અપર્યાપ્ત - પ્રત્યેક નામકર્મ જ બંધમાં ગણવાં. પણ સૂમ કે સાધારણ નામકર્મ બંધમાં ન કહેવાં. કારણ કે વિકસેન્દ્રિય જીવો સૂકમ કે સાધારણ હોતા જ નથી. તેથી તસ્ત્રાયોગ્ય બંધમાં સૂક્ષ્મ કે સાધારણ નામકર્મ બંધાતું નથી. તથા અપર્યાપ્તા પ્રાયોગ્ય બંધ હોવાથી અસ્થિર - અશુભ - દુર્ભગ - અનાદેય અને અયશ એમ બધી જ અશુભ પ્રવૃતિઓ કહેવી. સ્થાવરને બદલે ત્રસ કહેવું. તેથી બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયમાં એક એક બંધમાંગો થવાથી ૩ બંધમાંગા થાય છે. અપર્યાપ્ત બેઇન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિઓ - (૧) તિર્યંચ ગતિ (૭) તિર્યંચાનુપૂર્વી(૧૩) અશુભ| અહીં બધી જ| (૨) બેઇન્દ્રિય જાતિ (૮) ત્રસ (૧૪) દુર્ભગ પ્રકૃતિઓ અશુભ હોવાથી (૩) ઔદા. શરીર |(૯) બાદર (૧૫) અનાદેય અપર્યાપ્ત બે ઇન્દ્રિય (૪) ઔદા.અંગોપાંગ(૧૦) અપર્યાપ્ત |(૧૬) અયેશ | પ્રાયોગ્ય આ ર૫ના બંધમાં (૫) છેવટ્ઠ સંઘયણ |(૧૧) પ્રત્યેક (૧૭ થી ૨૫)| ૧ બંધભાંગો થાય છે. (૬) હુંડક સંસ્થાન (૧૨) અસ્થિર | નવ ધ્રુવબંધી. અપર્યાપ્ત બેઇન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ના બંધમાં જેમ ૧, તેમ અપર્યાપ્ત ઇન્દ્રિય પ્રાયોગ્ય ર૫માં અને અપર્યાપ્ત ચઉરિન્દ્રિય પ્રાયોગ્ય ર૫માં પણ બધી જ અશુભ પ્રકૃતિઓ બંધાતી હોવાથી અને કોઈ જ પ્રતિપક્ષી બંધાતી ન હોવાથી એક એક બંધભાંગો થાય છે. માત્ર બેઇન્દ્રિય જાતિને બદલે તે ઈન્દ્રિય જાતિ અથવા ચઉરિન્દ્રિય જાતિ કહેવાની છે. આ પ્રમાણે ૨૫નો બંધ અપર્યાપ્ત વિકસેન્દ્રિય પ્રાયોગ્ય છે. તેના ૩ બંધભાંગા છે અને તેને બાંધનારા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પં. તિર્યંચ અને મનુષ્યો છે અને તે પણ મિથ્યાષ્ટિ માત્ર જ જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy