SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૨૩-૨૪ ૫૭ નપુંસકવેદે ક્ષપકશ્રેણી માંડનાર જીવને આઠ કષાયોનો ક્ષય ન કરે ત્યાં સુધી ૨૧ની સત્તા અને આઠ કષાયોનો ક્ષય કર્યા પછી ૧૩ની સત્તા પાંચના બંધે હોય છે. તેમાંથી નપુંસકવેદ અને સ્ત્રીવેદ એમ બન્ને વેદ એકસાથે ક્ષય કરે છે. પરંતુ તે જ સમયે પુરુષવેદનો બંધવિચ્છેદ થાય છે. તેથી ૧૧ની સત્તા ચારના બંધે આવે છે. ત્યારબાદ હાસ્યષટ્ક અને પુરુષવેદ એમ ૭ પ્રકૃતિઓનો ક્ષય એકીસાથે કરે છે ત્યારે ચારના બંધે ૪ની સત્તા હોય છે. આ રીતે નપુંસકવેદીને પાંચના બંધે ૨૧ ૧૩ અને ચારના બંધે ૧૧ - ૪ની સત્તા હોય છે. ઉપર મુજબ સત્તાસ્થાન વિચારતાં ક્ષપકશ્રેણીમાં નપુંસક વેદીને પાંચના બંધે અને ચારના બંધે અનુક્રમે ૧૨નું અને પનું સત્તાસ્થાનક સંભવતું નથી, સ્ત્રીવેદે શ્રેણી માંડનારને પનું સત્તાસ્થાનક સંભવતું નથી તથા વેદનો ઉદય જો કે પાંચના બંધે જ હોય છે. ચારના બંધથી આગળ વેદનો ઉદય હોતો નથી. તો પણ પૂર્વકાલે જે વેદના ઉદયે શ્રેણી માંડી હોય, તે વેદવાળો જીવ ચારના બંધ આદિમાં પણ કહેવાય છે. પાંચના બંધે વેદનો ઉદય હોવાથી ૩ × ૪ = ૧૨ ઉદયભાંગા છે. પરંતુ ચારના બંધે વેદનો ઉદય ન હોવાથી એકોદયના ૪ ભાંગા જ છે. છતાં પૂર્વકાલમાં જેને જેને જે જે વેદનો ઉદય હતો. તે વેદવાળો આ જીવ છે એમ ભૂતકાળના નયથી આવો વ્યવહાર થાય છે. મતાન્તરે ચારના બંધે પ્રારંભકાળમાં વેદનો ઉદય હોય છે. આ વાત પૂર્વે સમજાવી છે. આ રીતે વિચારતાં સત્તાસ્થાનકોનું ચિત્ર આ પ્રમાણે બને છે ઉપશમ શ્રેણીમાં ક્ષપક શ્રેણીમાં પાંચના બંધે ૯/૧ ભાગે પુરુષવેદીને | ૨૮-૨૪-૨૧ સ્ત્રીવેદીને નપુંસકવેદીને ૨૮-૨૪-૨૧ Jain Education International ચારના બંધે ૯/૨ ભાગે ૨૮-૨૪-૨૧ ૨૮-૨૪-૨૧ ૨૮-૨૪-૨૧ ૨૮-૨૪-૨૧ પાંચના બંધે ૯/૧ ભાગે ૨૧-૧૩-૧૨-૧૧, ૫-૪ ૨૧-૧૩-૧૨ ૧૧-૪ ૧૧-૪ ૨૧-૧૩ ૨૪ ૨૧ એમ - આ પ્રમાણે વિચારતાં પાંચના બંધે ઉપશમશ્રેણીમાં ૨૮ ત્રણ અને ક્ષપકશ્રેણીમાં ૨૧ - ૧૩ - ૧૨ - ૧૧ એમ ચાર મળીને કુલ ૩ + ૪ = ૭ સાત સત્તાસ્થાનક થાય છે. પરંતુ ૨૧નું સત્તાસ્થાનક બે વાર હોવાથી બે વાર ન ગણતાં કુલ છ જ સત્તાસ્થાનો થાય છે તથા ચારના બંધે ઉપશમશ્રેણીમાં ૨૮ ૨૪ - ૨૧ અને ક્ષપકશ્રેણીમાં પુરુષવેદીને પ ૪, સ્ત્રીવેદીને ૧૧ ૪ અને - ચારનાં બંધે ૯/૨ ભાગે For Private & Personal Use Only - - - . www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy