SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૭-૧૮ છઠ્ઠો કર્મગ્રંથ ઉપર મુજબ બાવીસના બંધે મિથ્યાત્વ ગુણસ્થાનક, છ બંધ ભાંગા, ૭-૮-૯૧૦ કુલ ચાર ઉદયસ્થાનક, સાતના ઉદયે ૧, આઠના ઉદયે ૩, નવના ઉદયે ૩ અને દસના ઉદયે ૧ એમ કુલ આઠ ચોવીસી થાય છે. તેના કુલ ૮૪૨૪=૧૯૨ ઉદયભાંગા થાય છે. ૩૬ એક જીવને એકી સાથે મોહનીયકર્મની જેટલી પ્રકૃતિઓ ઉદયમાં વર્તે તે મોહનીયકર્મનું ઉદયસ્થાનક કહેવાય છે. તે તે ઉદયસ્થાનકમાં કષાય-વેદ અને યુગલનો ઉદય ક્રમશઃ બદલવાથી ઉદયના જે પ્રકારો થાય તેને ઉદયભાંગા કહેવાય છે. સાત પ્રકૃતિઓનો એકી સાથે એક જીવને જે ઉદય હોય છે તે સાતનું ઉદયસ્થાનક કહેવાય છે અને તે સાતમાં કોઇને ક્રોધાદિ, કોઇને માનાદિ, કોઇને માયાદિ પ્રકૃતિઓ ભિન્ન ભિન્ન જે ઉદયમાં આવે છે તે પ્રકારોને ઉદયભાંગા કહેવાય છે. સાતના ઉદયે ૧ ચોવીસી (૨૪) ઉદયભાંગા થાય છે. આઠનો અને નવનો ઉદય ત્રણ રીતે થાય છે અને એકેકમાં એક-એક ચોવીસી થતી હોવાથી ત્રણ ત્રણ ચોવીસી અને ૭૨-૭૨ ઉદયભાંગા થાય છે અને દસનો ઉદય એક જ પ્રકારે છે તે માટે ૧ ચોવીસી એટલે ૨૪ ઉદયભાંગા જાણવા. ઉદયપદ અને પદવૃંદ એકી સાથે એક જીવને જેટલી પ્રકૃતિઓ ઉદયમાં આવે તેના સમૂહને ઉદયસ્થાનક કહેવાય છે. પરંતુ ૧ ચોવીસીના કોઈપણ એક ભાંગે એકીસાથે એક જીવને જેટલી પ્રકૃતિઓ ઉદયમાં આવે તે એક એક પ્રકૃતિને ઉદયપદ (ઉદયમાં આવેલી પ્રકૃતિઓ) કહેવાય છે. જેમ કે અનંતાનુબંધી આદિ ૪ કષાય, ૧ વેદ, ૨ એક યુગલ, મિથ્યાત્વ, ભય અને જુગુપ્સા મળીને ૧૦નું એક ઉદયસ્થાનક કહેવાય છે. પરંતુ તે ૧૦ના ઉદયસ્થાનકમાં ઉદયમાં આવેલી દસ પ્રકૃતિઓને ૧૦ ઉદયપદ કહેવાય છે. સાતના ઉદયસ્થાનકના ૭ પદ, આઠના ઉદયનાં ૮ પદ, પરંતુ આઠનો ઉદય ત્રણ પ્રકારે છે. તેથી ત્રણ વાર આઠ આઠ ઉદયપદ થવાથી ૨૪ ઉદયપદ, નવના ઉદયનાં ૯ પદ પરંતુ નવનો ઉદય ત્રણ પ્રકારે છે. તેથી ત્રણ વાર નવ નવ ઉદયપદ થવાથી ૨૭ ઉદયપદ અને દસના ઉદયનાં ૧૦ ઉદયપદ કહેવાય છે. આ પ્રમાણે ૭ + ૨૪ + ૨૭ + ૧૦ = ૬૮ ઉદયપદો બાવીસના બંધે થાય છે. હવે દસના ઉદયે ૧૦ ઉદયપદ (એકી સાથે એક જીવને મોહનીયકર્મની ૧૦ પ્રકૃતિઓ ઉત્કૃષ્ટથી ઉદયમાં આવે છે. માટે ૧૦ ઉદયપદ) થાય છે. પરંતુ તે ૧૦નો ઉદય ૨૪ પ્રકારે હોય છે. કારણ કે એક ચોવીસી (૨૪ ઉદયભાંગા) થાય છે. તેથી ચોવીસે ઉદયભાંગામાંના એક એક ઉદયભાંગે ૧૦ ૧૦ પ્રકૃતિઓ ઉદયમાં આવેલી Jain Education International – For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy