SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ સપ્તતિકા (છઠ્ઠો કર્મગ્રંથ) ૨૧ના ઉદયે પાંચ. ૨૪ના બાદર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના યશ-અયશ સાથેના ૪, બાદર અપર્યાપ્ત પ્રત્યેક અને સાધારણના અયશ સાથેના ૨, સૂક્ષ્મ પર્યાપ્ત અને અપર્યાપ્તના સાધારણ અયશ સાથેના ૨ એમ ૮. ૨૫ના બાદર પર્યાપ્ત પ્રત્યેક અને સાધારણ યશ-અયશ સાથેના ૪ અને સૂકમ પર્યાપ્ત સાધારણનો અયશ સાથેનો ૧ એમ ૫. ૨૬ના આ જ પ્રમાણે ૫ અને ઉદ્યોતના ૪ એમ ૯ અને ૨૭ના ઉદ્યોતવાળા ૪ એમ સર્વે મળીને ૩૧ ઉદયભાંગા અને સત્તાસ્થાન ૯૨ આદિ પ હોય છે. ત્રસકાયમાં ચારે ગતિના જીવો હોવાથી ૨૩ આદિ ૮ બંધસ્થાન અને દરેક બંધસ્થાનના બંધભાંગા ઘટતા હોવાથી (૧૩૯૪૫) તેર હજાર નવસો પીસ્તાલીશ બંધભાંગા. વળી ૨૪નું ઉદયસ્થાન માત્ર એકેન્દ્રિયને જ હોવાથી ૨૪ વિના શેષ ૧૧ ઉદયસ્થાન અને એકેન્દ્રિયના ૪૨ વિના કુલ (૭૭૪૯) સાત હજાર સાતસો ઓગણપચાસ ઉદયભાંગ અને ૯૩ આદિ ૧૨ સત્તાસ્થાન હોય છે. યોગમાર્ગણા : ત્રણે યોગમાં ૨૩ આદિ ૮ બંધસ્થાન અને (૧૩૯૪૫) તેર હજાર નવસો પીસ્તાલીશ બંધમાંગા હોય છે. મનોયોગ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને સર્વ પર્યામિએ પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી દેવો આશ્રયી ૨૯ અને ૩૦, નારક આશ્રયી ૨૯, સામાન્ય મનુષ્યને આશ્રયી ૩૦ તથા તિર્યંચને આશ્રયી ૩૦ અને ૩૧, એમ પર્યાપ્ત જીવોની અપેક્ષાએ ૩ ઉદયસ્થાન હોય છે. અને વૈક્રિય તિર્યંચ તેમજ વૈક્રિય મનુષ્ય તથા આહારક મનુષ્યને આશ્રયી ૨૫ અને ૨૭ થી ૩૦ સુધીનાં ૫ ઉદયસ્થાનો હોવાથી સર્વે મળીને ૨૫ અને ૨૭ થી ૩૧ એમ કુલ ૬ ઉદયસ્થાનો હોય છે. જો કે તીર્થકર પ્રભુને ૩૧ના ઉદયમાં ભાવ મન નથી હોતું, પરંતુ દ્રવ્ય મન હોય છે તેથી તે દ્રવ્ય મનની દૃષ્ટિએ મનુષ્યોની અપેક્ષાએ ૩૧નું ઉદયસ્થાન પણ ગણી શકાય છે. અને ઉત્તર શરીરી મનુષ્ય-તિર્યંચને ૨૮ સુધીના ઉદયસ્થાનોમાં મન:પર્યાપ્તિએ અપર્યાપ્ત હોવા છતાં પણ મૂળ શરીરની અપેક્ષાએ પર્યામિ પૂર્ણ થયેલ હોવાથી મનોયોગ માનેલ છે. ઉદયભાંગ : વૈક્રિય તિર્યંચના પ૬, વૈક્રિય મનુષ્યના ૩૫, આહારકના ૭, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચના સ્વરવાળા ૩૦ના ઉદયના ૧૧૫૨ અને ૩૧ના ઉદયના ૧૧૫૨ એમ (૨૩૦૪) ત્રેવીસસો ચાર, સામાન્ય મનુષ્યના ૩૦ના ઉદયના ૧૧પર અને તીર્થકર કેવળીનો ૩૧ના ઉદયનો ૧, દેવતાના સ્વરવાળા ર૯ના ઉદયના ૮, અને ૩૦ના ઉદયના ૮ એમ ૧૬, નારકનો ર૯ના ઉદયનો ૧ એમ છએ ઉદયસ્થાનોના મળી કુલ (૩૫૭૨) પાંત્રીશસો બહોંતેર ઉદયભાંગા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy