SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૧૧ ૨૧ સાતાનો ઉદય ગુણસ્થાનક સુધી જ છે. જો કે અપ્રમત્તાદિ ગુણસ્થાનકમાં અસાતા અને સાતા અસાતા બન્નેની સત્તા છે. તો પણ પ્રમત્ત ગુણસ્થાનકથી આગળ અસાતાનો બંધ નથી અને આ બન્ને ભાંગા અસાતાના બંધવાળા છે. તેથી અપ્રમત્તાદિ ગુણસ્થાનકોમાં આ ભાંગા હોતા નથી. (૩) સાતાનો બંધ, અસાતાનો ઉદય, સાતા-અસાતા બન્નેની સત્તા (૪) સાતાનો બંધ, સાતાનો ઉદય, સાતા-અસાતા બન્નેની સત્તા. આ બન્ને ભાંગા મિથ્યાત્વથી સયોગિકેવલી ગુણસ્થાનક સુધી હોય છે. કારણ કે આ બન્ને ભાંગામાં સાતાનો બંધ છે અને તે બંધ તેરમા ગુણસ્થાનક સુધી જ છે. ચૌદમે યોગ ન હોવાથી વેદનીયનો બંધ નથી. (૫) અબંધ, અસાતાનો ઉદય અને સાતા અસાતા બન્નેની સત્તા, (૬) અબંધ, સાતાનો ઉદય અને સાતા અસાતા બન્નેની સત્તા આ બન્ને ભાંગા અયોગી ગુણઠાણાના પ્રથમ સમયથી તેના ક્રિચરમ સમય સુધી હોય છે. કારણ કે ચૌદમે ગુણઠાણે વેદનીયકર્મનો બંધ નથી તથા અસાતા અને સાતા એમ બન્નેનો ઉદય ભિન્ન ભિન્ન જીવમાં હોઇ શકે છે અને બન્ને વેદનીયની સત્તા પણ સંભવે જ છે. ૧ ૨ (૭) અબંધ, અસાતાનો ઉદય, અસાતાની સત્તા (૮) અબંધ સાતાનો ઉદય, સાતાની સત્તા આ બે ભાંગા ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે હોય છે. ચૌદમા ગુણસ્થાનકના દ્વિચરમ સમયે જે આત્માઓને સાતાનો ઉદય અને સત્તા ક્ષય પામી તેને ચરમ સમયે સાતમો ભાંગો હોય છે અને જે આત્માઓને અસાતાનો ઉદય અને સત્તા ક્ષય પામી તેને ચરમ સમયે આઠમો ભાંગો હોય છે. આ રીતે વેદનીયકર્મના કુલ આઠ સંવેધભાંગા થાય છે. તેનું ચિત્ર આ પ્રમાણે છે : વેદનીય કર્મના સંવેધનું ચિત્ર : જી||૩ ૬ ૭ ८ સાતા સાતા . બંધ ઉદય સત્તા વિશેષતા અસાતા | અસાતા બન્ને ૧ થી ૬ ગુણસ્થાનક સુધી અસાતા | સાતા બન્ને ૧ થી ૬ ગુણસ્થાનક સુધી અસાતા બન્ને ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી સાતા બન્ને ૧ થી ૧૩ ગુણસ્થાનક સુધી અસાતા બન્ને સાતા બન્ને ચૌદમા ગુણસ્થાનકના પ્રથમ સમયથી દ્વિચરમ સમય સુધી ચૌદમા ગુણસ્થાનકના પ્રથમ સમયથી દ્વિચરમ સમય સુધી અસાતા અસાતા ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે સાતા સાતા ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે ૭ ૦૫ ૦| - Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy