SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ છ કર્મનું બાટ્ટિયું-વેદમાર્ગણા ૩૦૯ (૧૬-૧૭) મનોયોગ-વચનયોગ : આ બને માર્ગણામાં ૧ થી ૧૩ ગુણસ્થાનક છે. માટે મૂલકર્મના ૭ ભાંગામાંથી છેલ્લો (0 - ૪ - ૪) એક ભાગો ચૌદમે જ ઘટતો હોવાથી અને ત્યાં યોગ ન હોવાથી તેના વિના ૬ ભાંગા હોય છે. જ્ઞાનાવરણીયના ૨, દર્શનાવરણીયના સ્વમતે ૧૧, મતાન્તરે ૧૩, વેદનીયકર્મના સાતા-અસાતાના બંધવાળા ૪, આયુષ્યકર્મના ૨૮, ગોત્રકર્મના પહેલા અને છેલ્લા વિના પાંચ અને અંતરાયકર્મના બન્ને ભાંગા ઘટે છે. ગોત્ર કર્મમાં “નીચનો બંધ, નીચનો ઉદય અને નીચની સત્તાવાળો પહેલો ભાગો, ઉચ્ચગોત્રની ઉવલના કર્યા પછી તેઉકાય-વાયુકામાં તથા ત્યાંથી નીકળીને શેષ તિર્યંચમાં ગયેલા જીવોને શરીર પર્યામિ પૂર્ણ કરે તે પહેલાં હોય છે. ત્યાં મનોયોગવચનયોગ નથી. માટે આ બે યોગમાં પહેલો ભાંગો લીધો નથી. અબંધ-ઉચ્ચનો ઉદય અને ઉચ્ચની સત્તાવાળો છેલ્લો ભાંગો ચૌદમાના ચરમ સમયે જ હોય છે. ત્યાં આ બને યોગો નથી. માટે ગોત્રકર્મના બાકીના વચ્ચેના પાંચ ભાંગા જ મનોયોગ અને વચનયોગમાં લીધા છે. (૧૮) કાયયોગ : કાયયોગ માર્ગણામાં મૂલકર્મના સાત ભાંગામાંથી ૦ - ૪ - ૪ વાળો છેલ્લો એક ભાગો ચૌદમા ગુણઠાણે જ હોવાથી તેના વિના ૬ ભાંગા હોય છે. જ્ઞાનાવરણીયના બને ભાંગા, દર્શનાવરણીયના સ્વમતે ૧૧, મતાન્તરે ૧૩, વેદનીય કર્મના સાતાઅસાતાના બંધવાળા ચાર, આયુષ્યકર્મના ૨૮, ગોત્રકર્મનો ચૌદમાના ચરમ સમયે સંભવતો “અબંધ-ઉચ્ચનો ઉદય-ઉચ્ચની સત્તા” વાળો છેલ્લો ૧ ભાંગો છોડીને શેષ ૬ ભાંગા, અને અંતરાયકર્મના બન્ને ભાંગા ઘટે છે. (૧૯) સ્ત્રીવેદ : સ્ત્રીવેદ માર્ગણામાં ૧ થી ૯ ગુણસ્થાનક છે. તેથી મૂલકર્મના ૮ - ૮ - ૮ તથા ૭ - ૮ - ૮ વાળા પ્રથમના બે ભાંગા જ સંભવે છે. જ્ઞાનાવરણીય કર્મનો ૫ - ૫ - ૫ વાળો પહેલો એક ભાગો સંભવે છે. દર્શનાવરણીય કર્મના નવના બંધના ૨, છના બંધના ૨, ચારના બંધના ૨, તથા ક્ષપકશ્રેણીમાં ૧૩ના ક્ષય પછીનો ૪ - ૪ - ૬ ની સત્તાવાળો ૧ ભાંગો એમ સ્વમતે સાત ભાંગા ઘટે છે. મતાન્તરે ૪ - ૫ - ૬ વાળો ભાંગો ગણતાં ૮ ભાંગા હોઈ શકે છે. વેદનીયમાં સાતા-અસાતાના બંધના ચાર, આયુષ્યકર્મમાં નારકી નપુંસક જ માત્ર હોવાથી તેના પાંચ ભાંગા વિના ૨૩, ગોત્રકર્મના અબંધવાળા છેલ્લા બે ભાંગા (અબંધ-ઉચ્ચનો ઉદય-બેની સત્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy