SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૧૧ તેઉકાય-વાઉકાયમાં ગયેલા જીવો ઉચ્ચ ગોત્રની ઉદ્ધલનાનો પ્રારંભ કરે છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગકાલે ઉચ્ચ ગોત્રની તે ઉવલના સમાપ્ત થાય છે. ત્યાર બાદ ઉચ્ચગોત્રની સત્તા હોતી નથી. તેથી ઉર્વલના કરે ત્યાં સુધી બે ગોત્રની સત્તા હોય છે અને ઉવલના સમાપ્ત થયા પછી ફરી ઉચ્ચગોત્ર બંધાય નહિ ત્યાં સુધી એકલા નીચ ગોત્રની જ સત્તા હોય છે વળી ચૌદમાં ગુણસ્થાનકના દ્વિચરમ સમય સુધી બન્ને ગોત્રની સત્તા હોય છે. પરંતુ ચૌદમાના ચરમ સમયે નીચ ગોત્રની સત્તા હોતી નથી તેથી ચૌદમાના દ્વિચરમ સમય સુધી બે ગોત્રની સત્તા અને ચરમ સમયે એક ઉચ્ચગોત્રની જ સત્તા હોય છે. આ પ્રમાણે બંધ-ઉદય અને સત્તા હોવાથી તેના સંવેધભાંગા ૭ થાય છે. તે આ પ્રમાણે - બંધસ્થાનક ૧નું જ હોય છે. જો નીચગોત્ર બંધાય તો પહેલા અને બીજા ગુણસ્થાનક સુધી બંધાય છે અને જો ઉચ્ચગોત્ર બંધાય તો ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી બંધાય છે. પરંતુ એકી સાથે બે ગોત્ર કર્મ પરસ્પર વિરોધી હોવાથી બંધાતાં નથી. તેથી ૧નું એક જ બંધસ્થાનક હોય છે તથા ઉદયસ્થાનક પણ એકનું એક જ હોય છે. ત્યાં નીચગોત્રનો ઉદય ૧ થી ૫ ગુણસ્થાનક સુધી અને ઉચ્ચગોત્રનો ઉદય ૧ થી ૧૪ ગુણસ્થાનક સુધી જાણવો. પરંતુ એકી સાથે બે ગોત્રકર્મનો ઉદય સંભવતો નથી. સત્તાસ્થાન ૨ છે. ૧નું અને ૨નું. તેઉકાય-વાઉકાયમાં ઉચ્ચગોત્રની ઉર્વલના થઈ ગયા પછીથી તે તેઉકાય - વાઉકાયમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી તો એક નીચગોત્રની જ સત્તા હોય છે. અને ત્યાંથી નીકળીને એકેન્દ્રિયાદિ શેષ તિર્યંચોમાં ઉત્પન્ન થાય ત્યાં પણ કેટલોક કાળ (શરીર પર્યામિ પૂર્ણ કરે ત્યાં સુધી - અંતર્મુહૂર્ત કાલ) એકલા નીચગોત્રની જ સત્તા હોય છે તથા ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમયે એકલા ઉચ્ચગોત્રની જ સત્તા હોય છે. શેષ સર્વકાલે બન્ને ગોત્રકર્મની સત્તા હોય છે. (૧) નીચનો બંધ, નીચનો ઉદય, નીચની સત્તા આ પ્રથમ ભાંગો મિથ્યાત્વ ગુણઠાણે જ તેઉકાય-વાઉકાયમાં ઉચ્ચગોત્રની ઉવલના કર્યા પછીથી હોય છે અને તેમાંથી નીકળેલા શેષ એકેન્દ્રિયાદિ તિર્યચોમાં પણ શરીરપર્યાતિની સમાપ્તિ સુધી હોય છે. (૨) નીચનો બંધ, નીચનો ઉદય, બન્ને ગોત્રની સત્તા - આ બીજો ભાંગો પહેલા બીજા બે ગુણસ્થાનકે હોય છે. કારણ કે નીચનો બંધ ત્યાં સુધી જ છે. (૩) નીચનો બંધ, ઉચ્ચનો ઉદય, બન્ને ગોત્રની સત્તા-આ ત્રીજો ભાંગો પણ પહેલા-બીજા બે જ ગુણસ્થાનકે હોય છે. કારણ કે નીચગોત્રનો બંધ બે ગુણસ્થાનક સુધી જ છે. (૪) ઉચ્ચનો બંધ, નીચનો ઉદય, બન્ને ગોત્રની સત્તા - આ ચોથો ભાંગો ૧ થી ૫ ગુણસ્થાનક સુધી છે. કારણ કે આ ભાંગામાં નીચગોત્રનો ઉદય છે. તે વધુમાં વધુ પાંચ ગુણસ્થાનક સુધી જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy