SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ગાથા : ૭૫ છઠ્ઠો કર્મગ્રંથ પણ અસંખ્યાતગુણ છે. આમ છેલ્લા સમય સુધી જાણવું આવા પ્રકારની અનંતી અનંતી કિટ્ટીઓ આ જીવ કિટ્ટીકરણાામાં કરે છે. (પંચ. ઉપ. કરણ ગાથા ૭૭-૭૮-૭૯). કિટ્ટીકરણાદ્વાના કાલમાં જ્યારે ૧ સમયન્સૂન ૩ આવલિકા કાલ બાકી રહે છે ત્યારે સંજ્વલન લોભ અપતગ્રહ બને છે. એટલે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય લોભનું કર્મદલિક સંજ્વલન લોભમાં સંક્રમ પામતું નથી. પણ પોતાના રૂપે રાખીને જ ઉપશમ કરે છે. બે આવલિકા બાકી રહે ત્યારે આગાલ અટકે છે. આ કિટ્ટીકરણાદ્વાના સંખ્યાતા ભાગ જાય ત્યારે સંજ્વલન લોભનો સ્થિતિબંધ અંતર્મુહૂર્ત જેટલો થાય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો સ્થિતિબંધ દિનપૃથક્ત્વ પ્રમાણ થાય છે. અને નામકર્મ-ગોત્રકર્મ તથા વેદનીયકર્મનો સ્થિતિબંધ ઘણા હજારો વર્ષ પ્રમાણ થાય છે. કિટ્ટીકરણાદ્ધાના છેલ્લા સમયે લોભનો બંધ અંતર્મુહૂર્ત હોય (પણ આ અંતર્મુહૂર્ત ઘણું નાનું જાણવું) જ્ઞાનાવરણીયાદિ ૩ ઘાતીકર્મોનો બંધ ૧ અહોરાત્ર પ્રમાણ, અને નામકર્માદિ ત્રણ કર્મનો સ્થિતિબંધ કંઈકન્યૂન ૨ વર્ષની સ્થિતિપ્રમાણ જાણવો. બે આવલિકા બાકી રહે ત્યારે આગાલ વિચ્છેદ પામે છે. ત્યાર પછી સંજ્વલન લોભનાં ઉદય-ઉદીરણા ચાલુ જ રહે છે. તેમાંથી ૧ આવલિકા ગયે છતે ઉદીરણા પણ વિચ્છેદ પામે છે. એટલે કે પ્રથમ સ્થિતિની ફક્ત ૨ આવલિકા બાકી રહે ત્યારે કલ્પનાથી ૯૬મા સમયે આગાલ વ્યવચ્છેદ અને ૧૦૦મા સમયે ઉદીરણાનો વ્યવચ્છેદ થાય છે. જ્યારે સંજ્વલન લોભની ઉદીરણા અટકે છે ત્યારે બાદરલોભનો ઉદય, નવમા ગુણઠાણાનો પાંચમો ભાગ, નવમું ગુણસ્થાનક, સંજ્વલન લોભનો બંધ, આ બધું જ સમાપ્ત થાય છે. તથા અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય લોભ પણ ઉપશાન્ત થાય છે. સંજ્વલન લોભ પણ ઘણો ખરો ઉપશમી ગયો છે. ફક્ત પ્રથમ સ્થિતિમાં ૧ આવલિકા (૧૦૧ થી ૧૦૪) અને બીજી સ્થિતિમાં કરાયેલી અનંતી કિટ્ટીઓ, તથા છેલ્લા ૧ સમયન્સૂન ૨ આવલિકા કાલમાં બાંધેલો લોભ. આટલું જ અનુપશાન્ત રહે છે ત્યાર પછી આ જીવ કિટ્ટી વેદનાદ્ધામાં પ્રવેશ કરે છે... (પંચ.ઉપ.ગાથા. ૮૦-૮૧) કિટ્ટીવેદનાદ્ધાનું સ્વરૂપ પૂર્વકાલમાં એટલે કે કિટ્ટીકરણાદ્ધાના કાલમાં બીજી સ્થિતિમાં સંજ્વલન લોભની જે કિટ્ટીઓ કરી છે. તેને આકર્ષીને પ્રથમ સ્થિતિમાં લાવે અને અંતર્મુહૂર્તના કાલપ્રમાણ પ્રથમ સ્થિતિરૂપે કરે અને તે કિટ્ટીકૃતલોભને આ જીવ વિપાકોદયથી અનુભવે. આ પ્રમાણે આ કાલે કિટ્ટીકૃત લોભ વેદાતો હોવાથી તેને કિટ્ટીવેદનાદ્ધા કહેવાય છે. તેને જ સૂક્ષ્મસંપરાય કહેવાય છે આ જ દસમું ગુણસ્થાનક છે. લોભને વેદવાના કરાયેલા ત્રણ ભાગામાંનો જ આ એક ભાગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy