SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૭૫ ૨૫૩ છે પરંતુ તેનો પણ એક સ્થિતિબંધ પૂર્ણ થયા પછીથી બીજો-ત્રીજો આદિ સ્થિતિબંધ સંખ્યાતવર્ષ પ્રમાણ જ થાય છે. આ રીતે હવે સાતે કર્મોનો સ્થિતિબંધ સંખ્યાતવર્ષ પ્રમાણ જ થયો. કોઈપણ કર્મનો સ્થિતિબંધ હવે અસંખ્યાતવર્ષનો નથી. તે પણ એક એક સ્થિતિબંધ સમાપ્ત થયે છતે નવો નવો સ્થિતિબંધ પૂર્વ-પૂર્વના સ્થિતિબંધ કરતાં સંખ્યાતગુણ હીન-સંખ્યાતગુણ હીન જ કરે છે. આ રીતે હજારો સ્થિતિઘાત ગયે છતે સાત નોકષાયમાંથી પ્રથમ હાસ્યાદિ ષટ્ક માત્ર ઉપશાન્ત થઈ જાય છે. તે કાલે પુરુષવેદની પ્રથમ સ્થિતિમાં ૧ સમયપ્રમાણ કર્મદલિક, અને બીજી સ્થિતિમાં ૧ સમયન્યૂન ૨ આવલિકાકાલમાં નવું બંધાયેલું અને ૧ સમયન્યૂન ૨ આવલિકા કાલમાં ઉપશાન્ત કરી શકાય તેટલું જ બાકી રહે છે. બાકીનો પુરુષવેદ પણ સઘળો ઉપશમી જાય છે. આ સાત નોકષાયોનો ઉપશમ કરતાં કરતાં પુરુષવેદની પ્રથમ સ્થિતિ ૨ આવલિકા પ્રમાણ જ્યારે બાકી રહે છે ત્યારે તેનો આગાલ વિચ્છેદ પામે છે. તથા ગુણશ્રેણી પણ બંધ પડે છે. ૧ સમયન્યૂન ૨ આવલિકા બાકી રહે છે ત્યારે પુરુષવેદ અપતગ્રહ થાય છે. તેથી હાસ્યષટ્કનું કર્મદલિક પુરુષવેદમાં સંક્રમ પામતું નથી પણ માત્ર સંજ્વલન ક્રોધાદિમાં જ સંક્રમ પામે છે. જ્યારે ૧ આવલિકા માત્ર પ્રથમ સ્થિતિ બાકી રહે છે. ત્યારે ઉદીરણા પણ વિરામ પામે છે. કેવલ ઉદય જ હોય છે. છેલ્લી એક આવલિકાના છેલ્લા એક સમય પ્રમાણ પ્રથમ સ્થિતિ પુરુષવેદની જ્યારે બાકી રહે છે ત્યારે હાસ્યષટ્ક ઉપશાન્ત થઈ જાય છે. પુરુષવેદનો તે ચરમ સમય પણ ઉદયથી ભોગવાઈ જતાં આ જીવ અવેદક (વેદના ઉદયરહિત) બને છે. તે કાલે બીજી સ્થિતિમાં ૧ સમય ન્યૂન બે આવલિકા કાલમાં જે છેલ્લું કર્મ બંધાયું છે. તે જ અનુપશાન્ત છે. તેને પણ સમયન્યૂન ૨ આવલિકાકાલમાં પ્રતિસમયે અસંખ્યાતગુણના ક્રમે ઉપશમાવે છે અને પ્રતિસમયે વિશેષ હીન-વિશેષ હીનના ક્રમે યથાપ્રવૃત્ત સંક્રમ વડે પરમાં સંક્રમાવે છે. આ રીતે પુરુષવેદ પણ ૧ સમયન્યૂન ૨ આવલિકાલે સર્વથા ઉપશાન્ત થાય છે. જ્યારે પુરુષવેદનો બંધ ૧૬ વર્ષની સ્થિતિ પ્રમાણ થયો. ત્યારે સંજ્વલન ૪ કષાયોનો સ્થિતિબંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. જ્યારે પુરુષવેદ સંપૂર્ણ ઉપશાન્ત થઈ જાય છે. ત્યારે સંજ્વલન કષાયોનો સ્થિતિબંધ ફક્ત ૩૨ વર્ષ પ્રમાણ (પરિમિત) અને જ્ઞાનાવરણીયાદિ શેષ કર્મોનો બંધ સંખ્યાતા હજાર વર્ષ પ્રમાણ થાય છે. પુરુષવેદ ઉપશાન્ત થયા પછી અવેદક થયેલો તે જીવ હવે અપ્રત્યાખ્યાનાદિ ક્રોધત્રિકની ઉપશમનાનો આરંભ કરે છે. (પંચસંગ્રહ ઉપશમના કરણ ગાથા ૬૩ થી ૭૦). ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy