SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો કર્મગ્રંથ ગાથા : ૫૮-૫૯ નથી. માટે સાસ્વાદન આવતું નથી. આ કારણે સાસ્વાદને ૮૬ - ૮૦ - ૭૮ ની સત્તા ન હોય. બાકીનાં સત્તાસ્થાનો ક્ષપકશ્રેણીમાં જ આવનાર છે. તેથી સાસ્વાદને ન હોય. હવે સંવેધ આ પ્રમાણે છે - દેવ પ્રાયોગ્ય ૨૮ બંધે ૮ બંધભાંગા, ૩૦ - ૩૧ એમ બે જ ઉદયસ્થાનક ૩૦ ના ઉદયે સ્વરવાળા સા. તિર્યંચના ૧૧૫ર, અને મનુષ્યના ૧૧૫૨ ઉદયભાંગા અને ૩૧ ના ઉદયે સા. તિર્યંચના ૧૧૫ર ઉદયભાંગા, કુલ ૩૪૫૬ ઉદયભાંગા હોય છે. સામાન્યથી ૯૨, ૮૮ બે સત્તાસ્થાનક હોય છે. ત્યાં ૩૦ ના ઉદયે તિર્યંચમાં ફક્ત ૮૮, અને મનુષ્યમાં પ્રથમના ત્રણ સંઘયણના ૫૭૬ ભાંગામાં ૯૨, ૮૮ એમ ૨ સત્તાસ્થાન જાણવાં, અને બાકીના ૫૭૬ મનુષ્યના ભાંગામાં તથા ૩૧ ના ઉદયે માત્ર તિર્યંચ જ હોવાથી એક ૮૮ ની જ સત્તા હોય છે. આ રીતે ૩૦ ના ઉદયે ૨, અને ૩૧ ના ઉદયે ૧ એમ ઉદયસ્થાનવાર સત્તાસ્થાન ૩ થાય છે પણ ઉદયભાંગાવાર કરીએ તો ૩૦ ના ઉદયે તિર્યંચના ૧૧૫ર ઉદયભાંગામાં એક ૮૮, મનુષ્યના ૫૭૬ ઉદયભાંગામાં ૯૨ - ૮૮, શેષ પ૭૬ ભાંગામાં ફક્ત ૮૮ અને ૩૧ ના ઉદયે તિર્યંચના ૧૧૫ર ઉદયભાંગામાં એક ૮૮, એમ સર્વે મળીને ૨૮ ના બંધે ઉદયભાંગાથી ગુણિત સત્તાસ્થાન ૧૧૫૨ x ૧ = ૧૧૫૨, ૫૭૬ ૪ ૨ = ૧૧પ૨, ૫૭૬ ૪ ૧ = ૫૭૬, ૧૧૫૨ x ૧ = ૧૧૫૨ કુલ ૪૦૩૨ સત્તાસ્થાન થાય છે. તેને ૮ બંધભાંગાથી ગુણતાં ૩૨૨૫૬ સત્તાસ્થાન થાય છે. અહીં એક વાત ખાસ સમજવા જેવી એ છે કે ૯૨ ની સત્તા માત્ર મનુષ્યને જ ૩૦ ના ઉદયે જ, ૧૧૫૨ ઉદયભાંગામાંથી પ્રથમનાં ત્રણ સંઘયણના ૫૭૬ ઉદયભાંગામાં જ હોય છે. બાકીના તમામ ઉદયસ્થાનોમાં અને ઉદયભાંગાઓમાં સાસ્વાદને માત્ર ૮૮ ની એક જ સત્તા હોય છે. કારણ કે સાસ્વાદન ગુણસ્થાનક ઉપશમસખ્યત્વથી પડતાં જ આવે છે. અને ઉપશમસમ્યક્ત બે જાતનું છે. એક પ્રાથમિક અને બીજું શ્રેણીસંબંધી. ત્યાં પ્રાથમિક ઉપશમસમ્યક્ત પામીને જે જીવ સાસ્વાદને આવે છે તેણે આહારકદ્રિક બાંધેલું હોતું નથી. તેથી એકેન્દ્રિય-વિકસેન્દ્રિય પં. તિર્યંચ, સા. મનુષ્ય અને દેવભવમાં પારભવિક સાસ્વાદન લઈને આવનારાને ૯૨ ની સત્તા સંભવતી નથી. નવું ઉપશમસમ્યક્ત નરક-પં. તિર્યંચ, દેવ અને મનુષ્યભવમાં પામી શકાય છે. ત્યાંથી સાસ્વાદને પર્યાપ્તાવસ્થામાં જઈ શકે છે. પરંતુ તે કાલે આહારકદ્ધિક બાંધેલું હોતું નથી. કારણ કે શ્રેણી સંબંધી મનુષ્યભવ વિના અન્ય સર્વે ભવોમાં આ ઉપશમસમ્યક્ત પહેલામાં પહેલું થાય છે. તેથી પ્રાથમિક ઉપશમ સમ્યકત્વવાળાને સાસ્વાદને જતાં ૯૨ ની સત્તા સંભવતી નથી. ફક્ત શ્રેણીસંબંધી ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy