SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ગાથા : ૪૬ છઠ્ઠો કર્મગ્રંથ चत्वारः षट्सु, द्वौ सप्तसु, एकस्मिंश्चत्वारो गुणेषु वेदनीयभङ्गाः । ગોત્રે પદ્મ, વત્વારો, કે ત્રિપુ, પોૠતુ, દૌ સ્મિન્ ! ૪૬ ।। ગાથાર્થ - છ ગુણસ્થાનકમાં ચાર, સાત ગુણસ્થાનકમાં બે, અને એક ગુણસ્થાનકમાં ચાર વેદનીયકર્મના ભાંગા હોય છે. ગોત્રકર્મના ભાંગા પહેલે પાંચ, બીજે ચાર, ત્રીજે, ચોથે અને પાંચમે એમ ત્રણ ગુણસ્થાનકે બે, આઠ ગુણસ્થાનકોમાં (૬ થી ૧૩ માં) એક, અને ચૌદમા એક ગુણસ્થાનકમાં બે સંવેધભાંગા હોય છે. ।। ૪૬ || વિવેચન - આ ગાથા સપ્તતિકાની નથી. ભાષ્યની અંદરની ગાથા છે. તેથી જ ચૂર્ણિમાં અને સપ્તતિકાની ટીકામાં આ ગાથા મૂલરૂપે નથી. આ ગાથામાં ચૌદ ગુણસ્થાનક ઉપર વેદનીય અને ગોત્રકર્મના સંવેધભાંગા કહેલા છે. વેદનીયકર્મમાં અસાતાનો બંધ છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ છે અને સાતાનો બંધ તેરમા ગુણસ્થાનક સુધી છે. ઉદયમાં તેરમા ગુણસ્થાનક સુધી સાતા અને અસાતા પરાવર્તમાન છે અને ચૌદમા ગુણસ્થાનકના ચરમ સમય સુધી બન્નેમાંથી કોઈ પણ એકનો ઉદય હોય છે. સત્તા ચૌદમાના દ્વિચરમ સમય સુધી બન્નેની હોય છે. પરંતુ ચરમસમયે જેને અસાતાનો ઉદય હોય તેને અસાતાની જ સત્તા અને જેને સાતાનો ઉદય હોય તેને સાતાની જ સત્તા હોય છે. તેથી ભાંગા આ રીતે સંભવે છે. ‘મિથ્યાત્વથી પ્રમત્ત’” એમ ૬ ગુણસ્થાનકોમાં (૧) અસાતાનો બંધ, અસાતાનો ઉદય અને બન્નેની સત્તા, (૨) અસાતાનો બંધ, સાતાનો ઉદય અને બન્નેની સત્તા, (૩) સાતાનો બંધ, અસાતાનો ઉદય અને બન્નેની સત્તા, (૪) સાતાનો બંધ, સાતાનો ઉદય અને બંનેની સત્તા આમ કુલ ૪ સંવેધભાંગા હોય છે. “સાતમા ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી” આ ચાર ભાંગામાંથી જ સાતાના બંધવાળા ત્રીજો અને ચોથો એમ બે જ ભાંગા હોય છે. કારણ કે ત્યાં અસાતાનો બંધ નથી. માટે પહેલોબીજો એમ બે ભાંગા હોતા નથી. ચૌદમા ગુણસ્થાનકે પાછલા ચાર ભાંગા હોય છે. ત્યાં પ્રથમ સમયથી દ્વિચરમ સમય સુધી અબંધવાળા પહેલા બે ભાંગા જાણવા. (૧) અબંધ, અસાતાનો ઉદય અને બન્નેની સત્તા, તથા (૨) અબંધ, સાતાનો ઉદય, બન્નેની સત્તા, આ બન્ને ભાંગા (પાંચમો અને છટ્ટો ભાંગો) ચૌદમાના પ્રથમ સમયથી દ્વિચરમસમય સુધી હોય છે પરંતુ ચરમસમયે તો (સાતમો અને આઠમો એમ) છેલ્લા બે જ સંવેધભાંગા હોય છે. કારણ કે ચરમ સમયે બે વેદનીયમાંથી જે વેદનીયનો ઉદય હોય તે એક વેદનીયની જ સત્તા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy