SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ ગાથા : ૪૧-૪૨ છઠ્ઠો કર્મગ્રંથ છે તે જ સંજ્ઞી છે. આવી વિવક્ષા કરી છે. સત્તાસ્થાનક અયોગીકેવલી ગુણઠાણાના ચરમસમયભાવી ૯-૮ ને છોડીને બાકીનાં ૧૦ હોય છે. સંવેધ આ પ્રમાણે છે - ૨૩ ના બંધે ૪ બંધભાંગા. (૨૪ વિના) ૨૧ થી ૩૧ સુધીમાં કુલ ૮ ઉદયસ્થાનક, અને ઉદયભાંગા સા.પં. તિર્યંચના ૪૯૦૪, વૈ. તિર્યંચના પ૬, સા. મનુષ્યના ૨૬૦૦, વૈ. મનુષ્યના (ઉદ્યોતના ઉદય વિનાના બાકીના) ૩૨ કુલ ૭૫૯૨ હોય છે. કારણ કે સંજ્ઞી પર્યાપ્તામાં ૨૩ નો બંધ ઉપરોક્ત ભાંગે વર્તતા જીવો જ કરે છે. દેવો-નારકી, ઉદ્યોતવાળા વૈ. મનુષ્ય (મુનિ), અને આહારક મનુષ્યના જીવો ૨૩ નો બંધ કરતા નથી. સત્તાસ્થાનક ૨૧-૨૬ ના ઉદયના સામાન્ય તિર્યંચના ૮૨૮૮ ઉદયભાંગે પાંચ પાંચ, બાકીના સા. તિર્યંચના ૪૬૦૮, અને સા. મનુષ્યના ૨૬૦૦ ઉદયભાંગામાં ચાર ચાર, વૈ. તિર્યંચના પ૬ અને વૈ. મનુષ્યના ૩૨ ઉદય ભાંગામાં ૯૨-૮૮ એમ બે બે સત્તાસ્થાન જાણવાં. સા. તિર્યચના ૮ + ૨૮૮ = ૨૯૬ ભાંગે ૪ ૫ = ૧૪૮૦ સા. તિર્યચના શેષ ૪૬૦૮ ભાંગે x ૪ = ૧૮૪૩૨ વૈક્રિય તિર્યચના પ૬ ભાંગે x ૨ = ૧૧૨ સામાન્ય મનુષ્યના ૨૬૦૦ ભાંગે x ૪ = ૧૦૪૦૦ વૈક્રિય મનુષ્યના ૩૨ ભાંગે x ૨ = ૬૪ કુલ ઉદયભાંગા ૭૫૯૨ સત્તાસ્થાન ૩૦૪૮૮ આ ૩૦૪૮૮ સત્તાસ્થાનોને ર૩ના બંધના ચાર બંધભાંગે ગુણીએ તો ૧,૨૧,૯૫ર સત્તાસ્થાન સંજ્ઞી પર્યાપ્તામાં ૨૩ ના બંધ થાય છે. - ૨૫ ના બંધે એકેન્દ્રિયના ૨૦ બંધભાંગા છે. તેમાંથી બાદર-પર્યાપાના ૮ બંધભાંગા વિનાના ૧૨ બંધભાંગે અન્યૂનાતિરિક્તપણે ઉપર લખેલા ૨૩ ના બંધની જેમ જ સત્તાસ્થાનો હોય છે. તેથી ૩૦૪૮૮૪૧૨=૩૬૫૮૫૬ સત્તાસ્થાનો હોય છે. બાદર પર્યાપ્તાના ૮ બંધભાંગે ૨૩ ના બંધની જેમ તો સત્તા છે જ. પરંતુ તેના બંધક જીવોમાં દેવો અધિક હોવાથી દેવોના ૬૪ ઉદયભાંગા અને દરેક ઉદયભાંગે ૯૨૮૮ એમ બે બે સત્તાસ્થાન વધારે હોય છે. તેથી ૭૫૯૨૬૪=૭૬પ૬ ઉદયભાંગા થાય છે અને ૩૦૪૮૮+૧૨૮=૩૦૬૧૬ સત્તાસ્થાન આઠ બંધભાંગે હોય છે. તેથી તેને આઠ બંધ ભાંગા વડે ગુણતાં, ૨,૪૪,૯૨૮ સત્તાસ્થાન સંભવે છે. વિકલેન્દ્રિયપ્રાયોગ્ય ૩ બંધભાંગે તથા અપર્યાપ્ત તિર્યંચપ્રાયોગ્ય ૧ એમ કુલ ૪ બંધમાંગે પણ ઉપરોક્ત ૨૩ ના બંધની જેમ જ સંવેધ જાણવો. તેથી ૩૦૪૮૮ ૪ ૪ = ૧,૨૧,૯૫ર સત્તાસ્થાન હોય છે અને અપર્યાપ્ત મનુષ્યપ્રાયોગ્ય ૧ બંધમાંગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy