SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૩૩-૩૪ ૧૧૫ છઠ્ઠો કર્મગ્રંથ સત્તાસ્થાનક ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮ એમ કુલ ૭ હોય છે. મનુષ્યપ્રાયોગ્ય ૩૦ દેવો જ્યારે બાંધશે ત્યારે ૯૩, ૮૯, નારકીના જીવો જ્યારે મનુષ્યપ્રાયોગ્ય ૩૦ બાંધશે ત્યારે ૮૯, એકેન્દ્રિયાદિ જીવો વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયોગ્ય બાંધશે ત્યારે ૯૨ - ૮૮ - ૮૬ - ૮૦ - ૭૮ એમ પાંચ સત્તાસ્થાનો સંભવે છે. બીજાં સત્તાસ્થાનો ક્ષપકશ્રેણી આદિમાં આવતાં હોવાથી તથા જિનનામવાળાં હોવાથી અહીં ન હોય. ૨૧ અને ૨૫ના ઉદયે દેવોમાં ૯૩ - ૮૯ની સત્તા અને નારકીમાં ૮૯ની સત્તા સંભવતી હોવાથી સાત - સાત સત્તાસ્થાન છે. ૨૪ - ૨૬ના ઉદયે દેવો અને નારકી ન હોવાથી ૯૩ - ૮૯ વિનાનાં બાકીનાં ૯૨ - ૮૮ - ૮૬ - ૮૦ - ૭૮ એમ પાંચ સત્તાસ્થાનક હોય છે. ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ના ઉદયમાં યથોચિત ઉદયે દેવ - નારકી હોવાથી ૯૩ - ૮૯ છે. પણ તેલ - વાયુ ન હોવાથી અને બીજા જીવોને શરીર પર્યાપ્તિ પૂર્ણ થયેલી હોવાથી ૭૮ની સત્તા નથી. તે માટે ૬ - ૬ સત્તાસ્થાન હોય છે. ૩૧નો ઉદય ફક્ત તિર્યંચોને જ છે. માટે ૯૨, ૮૮, ૮૬, ૮૦ એમ ૪ જ સત્તાસ્થાન છે. આ રીતે ૨૧માં ૭, ૨૪માં ૫, ૨૫માં ૭, ૨૬માં ૫, ૨૭માં ૬, ૨૮માં ૬, ૨૯માં ૬, ૩૦માં ૬ અને ૩૧માં ૪, સર્વે મળીને ઉદયસ્થાનવાર સત્તાસ્થાન બાવન (૫૨) થાય છે. ઉદયભાંગાવાર સત્તાસ્થાન હવે સમજાવીશું. ૩૦ના બંધે - વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બંધનો સંવેધ - વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બંધે ૨૪ બંધમાંગ છે. તે બાંધનારા જીવોમાં ૨૧ થી ૩૧ સુધીનાં ૯ ઉદયસ્થાનક છે. ઉદયભાંગા ૭૭૦૪ છે. દેવોના ૬૪, નારકીના ૫, ઉદ્યોતવાળા વૈ. મનુષ્યના ૩, આહારકના ૭ અને કેવલી ભગવંતના ૮ એમ કુલ ૮૭ ઉદયભાંગા આ બંધે સંભવતા નથી. તે વિનાના બાકીના ૭૭૦૪ ઉદયભાંગા હોય છે. સત્તાસ્થાનક ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ એમ પાંચ જ હોય છે. ૯૩ - ૮૯માં જિનનામની સત્તા છે અને વિશ્લેન્દ્રિયપ્રાયોગ્ય બંધે જિનનામની સત્તા સંભવતી નથી. અહીં ૭૮ની સત્તા તેઉ - વાયુમાં અથવા ત્યાંથી નીકળીને પૃથ્વીકાયાદિમાં ગયેલાને શરીર પર્યાતિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ હોય છે. વિક્લેન્દ્રિયપ્રાયોગ્ય ૩૦ના બંધનો સંવેધ સંપૂર્ણપણે ૨૩ના બંધની જેમ જ છે. કારણ કે અપર્યાપ્તા એકેન્દ્રિયપ્રાયોગ્ય ૨૩ના બંધના બંધક જે જીવો છે તે જ જીવો વિક્લેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બંધક છે. તેથી ૨૩ના બંધની જેમ ૩૦૯૭૨ સત્તાસ્થાન થાય છે. તેને વિશ્લેન્દ્રિયના ૨૪ બંધભાંગે ગુણવાથી ૭, ૪૩, ૩, ૨૮ બંધભાંગાથી ગુણિત સત્તાસ્થાન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy