SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ગાથા : ૩૩-૩૪ છઠ્ઠો કર્મગ્રંથ ૨૯ના બંધે – દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધનો સંવેધ - દેવપ્રાયોગ્ય ર૯નો બંધ જિનનામ સહિત હોય છે. તેથી તેના ૮ જ બંધભાંગા છે. તેને બાંધનારા માત્ર લબ્ધિ પર્યાપ્ત મનુષ્ય જ હોય છે. અને તે પણ સમ્યગ્દષ્ટિ જ. કારણ કે તિર્યંચો જિનનામ બાંધે નહીં અને દેવ-નારકીના જીવો દેવપ્રાયોગ્ય બંધ કરે નહીં. મનુષ્યમાં પણ લબ્ધિ અપર્યાપ્ત જીવો તેવી વિશુદ્ધિવાળા ન હોવાથી જિનનામ બાંધે નહીં. તેથી ૨૧ - ૨૬ના ઉદયનો લબ્ધિ અપર્યાપ્તાનો એક - એક ઉદયભાંગો આ બંધ ન હોય. કેવલી ભગવંતો નામકર્મ બાંધતા જ નથી. તેથી સામાન્ય મનુષ્યના ૨૬૦૦, વૈ. મનુષ્યના ૩પ અને આહારક મનુષ્યના ૭ એમ કુલ ૨૬૪૨ ઉદયભાંગા હોય છે. ઉદયસ્થાનક ૨૧ - ૨૫ - ૨૬ - ૨૭ - ૨૮ - ૨૯ - ૩૦ એમ કુલ ૭ હોય છે. ૨૪નો ઉદય એકેન્દ્રિયને જ છે. મનુષ્યોને નથી તથા ૩૧નો ઉદય તિર્યંચોને જ છે. સામાન્ય મનુષ્યોને નથી. માટે બે ઉદય વિના શેષ ૭ ઉદયસ્થાનક હોય છે.' સાત ઉદયસ્થાનકે ૯૩ - ૮૯ એમ બે બે સત્તા હોવાથી ઉદયસ્થાનવાર સત્તાસ્થાન વિચારીએ તો ૭ x ૨ = ૧૪ સત્તાસ્થાન હોય છે. ઉદયભાંગાવાર જ્યારે વિચારીએ ત્યારે સામાન્ય મનુષ્યના ૨૬00 અને વૈક્રિય મનુષ્યના ૩૫ ઉદયભાંગામાં ૯૩ - ૮૯ એમ બે બે સત્તાસ્થાન અને આહારક મનુષ્યના ૭ ઉદયભાંગામાં કેવલ છે. તેમાં જ નરકના પાંચ ઉદયભાંગે ૮૯ની સત્તા ઘટે છે. કારણ કે જિનનામની સત્તાવાળો જીવ મિથ્યાત્વે હોય તો પણ આ ત્રણ વિના બીજી બધી પ્રવૃતિઓ શુભ જ બાંધે છે. તેથી બાકીના બંધમાંગે ૮૯ની સત્તા હોતી નથી. તેથી મનુષ્ય પ્રાયોગ્ય બંધના ૪૬૦૮ બંધમાંગામાંથી ૮ જ ભાંગે ૩૦૭૭૧ સત્તાસ્થાન મળે છે. બાકીના ૪૬૦૦ બંધભાંગે ૩૦૭૬૬ સત્તાસ્થાન જ મળે છે. આ રીતે ગુણાકાર કરતાં ૧૪,૧૭,૬૯,૭૬૮ સત્તાસ્થાનો થાય છે. (૧) દેવપ્રાયોગ્ય જિનનામ સહિત ૨૯ના બંધનો જે સંવેધ લખ્યો. તેમાં આવી વિચારણા આવવી શક્ય છે કે જિનનામ ત્રીજા ભવથી બંધાય છે. વચ્ચેનો ભવ દેવ અથવા નાર છે. તે વચ્ચેના ભવે તો દેવપ્રાયોગ્ય આ ર૯ બાંધવાની હોતી નથી. ચરમભવમાં અને ત્રીજા ભવમાં જ આ દેવપ્રાયોગ્ય ૨૯ બંધાય છે. હવે ચરમભવમાં તો આ જીવ નિયમા તીર્થંકર થવાના હોવાથી સર્વે પ્રકૃતિઓ શુભ જ ઉદયમાં હોય. પહેલું જ સંઘયણ - પહેલું જ સંસ્થાન ઇત્યાદિ પ્રકૃતિઓનો ઉદય હોય એટલે ચરમભવમાં માતાની કુક્ષિમાં આવેલા લબ્ધિપર્યાપ્તા અને કરણ અપર્યાપ્તા તે તીર્થંકરપ્રભુના જીવને ૨૧ - ૨૬ - ૨૮ - ૨૯ ઉદયસ્થાનકો ઘટી શકે છે. પરંતુ ઉદયભાંગા ૮ - ૨૮૮ - ૫૭૬ - ૫૭૬ને બદલે ૧ - ૧ - ૧ - ૧ હોવા જોઇએ. ૩૦નો ઉદય પર્યામિએ પર્યાપ્તાનો છે એટલે ચરમભવમાં તો ૩૦ના ઉદયે પણ ૧ જ ભાંગો સંભવે પરંતુ પૂર્વના ત્રીજા ભવમાં સૌભા. - દૌભા, આદેય - અના, યશ - અયશ લઈએ તો ૮ અને કદાચ તે ભવમાં મનુષ્યયોગ્ય સઘળી પ્રતિપક્ષી લઈએ તો પણ જિનનામ બાંધનાર મનુષ્યને પ્રથમ સંઘયણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy