SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ ગાથા : ૩૩-૩૪ છઠ્ઠો કર્મગ્રંથ ૪૯૦૪, વૈક્રિય તિર્યંચના પ૬, સામાન્ય મનુષ્યના ૨૬૦૦, વૈક્રિય મનુષ્યના ૩૫ અને આહારક મનુષ્યના ૭ મળીને ૭૬૦૨ ઉદયભાંગા હોય છે. આહારકના ૭ ભાંગામાં ફક્ત એક ૯૨નું જ સત્તાસ્થાન હોય છે તથા કરણ પર્યાપ્તા એવા ૫. તિર્યંચના ૩૦ના ઉદયના સ્વરવાળા ૧૧૫૨ ભાંગામાં, ૩૧ના ઉદયના ૧૧૫ર ભાંગામાં અને સામાન્ય મનુષ્યના ૩૦ના ઉદયના ૧૧૫ર ભાંગામાં ૯૨-૮૮-૮૬ એમ ત્રણ ત્રણ સત્તાસ્થાનક હોય છે. કારણ કે ત્યાં સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા હોવાથી સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ એમ બંને પ્રકારના તિર્યંચ-મનુષ્યો બંધક છે. બાકીના સર્વે ઉદયભાંગામાં ૯૨-૮૮ એમ બે જ સત્તાસ્થાનક છે. કારણ કે બાકીના સઘળા ઉદયભાંગા કરણાપર્યાપ્તાવસ્થાભાવી છે. ત્યાં બંધક સમ્યગ્દષ્ટિ જ છે તથા વૈક્રિય તિર્યંચના પ૬ અને વૈક્રિય મનુષ્યના ૩૫ ઉદયભાંગામાં પણ ૯૨-૮૮ બે જ સત્તાસ્થાન હોય છે. ૮૯ની સત્તા દેવપ્રાયોગ્ય ૨૮ના બંધે ક્યાંય હોતી નથી. તેથી સત્તાસ્થાનની સંખ્યા આ પ્રમાણે બને છે. સા. તિર્યંચના ૩૦-૩૧ ના ઉદયના ૧૧૫૨-૧૧૫ર = કુલ ૨૩૦૪ ભાંગામાં દરેક ભાંગે ત્રણ ત્રણ સત્તાસ્થાન ૨૩૦૪ x ૩ = ૬૯૧૨ સા.મનુષ્યના ૩૦ના ઉદયના ૧૧૫૨ માં ૩ સત્તાસ્થાન ૧૧૫૨ ૪ ૩ = ૩૪૫૬ બાકીના સા.તિર્યંચના ર૬૦૦ માં ૯૨-૮૮ બે જ સત્તા. ૨૬૦૦ x ૨ = પ૨૦૦ બાકીના સા.મનુષ્યના ૧૪૪૮માં પણ ૯૨-૮૮ બે જ સત્તા. ૧૪૪૮ ૨ = ૨૮૯૬ વૈ.તિર્યંચના પ૬, વૈ.મનુષ્યના ૩પમાં બે બે સત્તાસ્થાન ૯૧ ૪ ૨ = ૧૮૨ આહારક મનુષ્યના ૭ ભાંગામાં એક ૯૨ની જ સત્તા ૭ ૪ ૧ = ૭ ૭૬૦૨ ઉદયભાંગામાં ૧૮૬પ૩ દેવપ્રાયોગ્ય ૨૮નાબંધે ૭૬૦૨ ઉદયભાંગે ૧૮૬૫૩ સત્તાસ્થાન હોય છે.બંધભાંગા ૮ હોવાથી તેને ૮ વડે ગુણતાં કુલ ૧,૪૯,૨૨૪ સત્તાસ્થાન થાય છે. દેવગતિ પ્રાયોગ્ય ૨૮ના બંધનું જે આ નિરૂપણ કર્યું છે તે સપ્તતિકાની ટીકા, ચૂર્ણિ, પંચસંગ્રહની ટીકા અને કેટલાંક ગુજરાતી વિવેચનોના આધારે કરેલ છે. પરંતુ સપ્તતિકા ભાષ્યની ગાથા ૧૨૮માં ૨૧ના ઉદયથી ઉદ્યોતવાળા ૩૦ના ઉદય સુધી કરણ અપર્યાપ્તાવસ્થાભાવી સામાન્ય તિર્યંચના જે ૨૬૦૦ ઉદયભાંગા લીધા છે. તે અનુક્રમે ૮, ૨૮૮, ૫૭૬, ૧૧પર અને ઉદ્યોતવાળા ૫૭૬ ને બદલે ૮, ૮, ૧૬, ૩૨ અને ૧૬ એમ ૮૦ જ ઉદયભાંગા લેવાનું સૂચવ્યું છે. તેનું કારણ તે ૧૨૮મી ગાથામાં અને ટીકામાં એવું જણાવ્યું છે કે કરણાપર્યાપ્તા તિર્યંચમાં ૨૧થી ૩૦ના ઉદય સુધીમાં ક્ષાયિકસમ્યકત્વી અને ૨૨ની મોહનીયની સત્તાવાળા વેદક સમ્યગ્દષ્ટિ જ જીવો હોય છે અને તે નિયમા યુગલિક જ હોય છે. કારણ કે પૂર્વકાલમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001091
Book TitleKarmagrantha Part 6 Sapttika Nama
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2006
Total Pages380
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy