________________
૪૬૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૯-૧૦૦
તથા ગુણસંક્રમ દ્વારા ક્ષય કર્યા પછી સંજ્વલન માનાદિ ત્રણ કષાયોની ૯ કિટ્ટીઓ જ થાય છે. એવી રીતે સંજવલન માયાના ઉદયે શ્રેણી પ્રારંભકને નપુંસકવેદમાં કહેલી નીતિ-રીતિ મુજબ સં. ક્રોધ-માનનો ક્ષય કરીને માયા, લોભની ૩+૩૬ કિટ્ટીઓ જ થાય છે. તથા સં. લોભના ઉદયે શ્રેણી પ્રારંભકને ક્રોધ માન અને માયાનો નપુંસકવેદમાં કહ્યા પ્રમાણે ક્ષય કર્યા પછી માત્ર સં. લોભની ૩ કિટ્ટી જ થાય છે. હવે સં. ક્રોધના ઉદયે શ્રેણી પ્રારંભકને આશ્રયી ચારે કષાયોની જે બારે કિટ્ટીઓ કરી છે. તે સર્વે કિટ્ટીઓના ક્ષયની પ્રક્રિયા સમજાવાય છે. અહીં કિટ્ટીકરણોદ્ધા સમાપ્ત થાય છે. હવે કિટ્ટીવદનાદ્ધા શરૂ થાય છે.
અહીં એક વાત ખાસ યાદ રાખવી કે આ સંજવલન ક્રોધાદિ ચારેકષાયોના અપૂર્વસ્પર્ધકો અને કિટ્ટીઓ કરવાના કાળમાં જ પુરુષવેદનું અત્યકાળે બાંધેલું અને નષ્ટ નહીં થયેલું જે દલિક છે તે દલિક ૧ સમયગૂન બે આવલિકા કાળ પ્રમાણ કાળમાં સંજવલન ક્રોધાદિમાં સંક્રમાવીને ક્ષય કરે છે. અને તેથી છેલ્લે પુરુષવેદની સત્તાનો ક્ષય થવાથી અન્ત ચાર કષાયની જ સત્તા રહે છે. હવે ચાર કષાયોની કરાયેલી બાર કિટ્ટીઓની વિપાકોદય દ્વારા ક્ષયની નીતિ-રીતિ આ પ્રમાણે છે.
સંજવલન ક્રોધના ઉદયે શ્રેણી પ્રારંભક જીવને ચારે કષાયોની ત્રણ ત્રણ કિટ્ટી કરતાં બીજી સ્થિતિમાં કુલ બાર કિટ્ટીઓ હોય છે. તેમાંથી સંજવલન ક્રોધની બીજી સ્થિતિમાં રહેલી પહેલી બાદરકિટ્ટીને ત્યાંથી આકર્ષાન (ઉપરની સ્થિતિમાંથી નીચે ઉતારીને) પ્રતિસમયે પહેલી સ્થિતિ રૂપે કરે અને વેદે તેને કિષ્ટિ વેદનાદ્ધા કહેવાય છે. એમ એક અંતર્મુહૂર્ત સુધી પહેલી કિટ્ટિનો ઉદયથી ભોગવીને ક્ષય કરતાં કરતાં પહેલી કિટ્ટિ સમયાધિક એક આવલિકા બાકી રહે ત્યાં સુધી ક્ષય કરે. ત્યારબાદ તે જ સં. ક્રોધની બીજી સ્થિતિમાં રહેલી બીજી કિટ્ટીને આકર્ષીને પ્રથમ સ્થિતિ રૂપે કરે અને તે રૂપે વેદીને ક્ષય કરે. એમ યાવત્ બીજી અલ્પલાદર કિટ્ટી પણ અંતર્મુહૂર્તકાળે ક્ષય કરતાં કરતાં એક સમયાધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org