SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો કર્મગ્રંથ આ પ્રમાણે આ ૩૦ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટબંધ ૧/૨ સમયમાત્ર હોવાથી સાદિ-અધ્રુવ, પરંતુ અનુત્કૃષ્ટ બંધ ઉપર સમજાવ્યા પ્રમાણે ધ્રુવબંધી પ્રકૃતિ હોવાથી સાદિ-અનાદિ ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે થાય છે. તથા આ ૧૭+૩૦= એમ ૪૭ સુડતાલીસે ધ્રુવબંધી પ્રકૃતિઓનો જઘન્યપ્રદેશબંધ સૂક્ષ્મનિગોદીયા અલ્પતરયોગવાળા જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે થાય છે. તે સમયે જઘન્યની સાદિ થાય છે. તે જ જીવને બીજા સમયે અસંખ્યગણો યોગ વધવાથી અજઘન્ય પ્રદેશબંધ થાય છે. ત્યારે અજઘન્યની સાદિ થાય છે. સૂક્ષ્મનિગોદનો ભવ દરેક જીવો ભૂતકાળમાં અનેકવાર પામી ચૂક્યા છે. તેથી અનેકવાર જઘન્ય અને અજઘન્ય પ્રદેશબંધ વારાફરતી કર્યા જ છે. માટે તે બન્ને બંધના સાદિ-અધ્રુવ એમ બે બે જ ભાંગા થાય છે. આ રીતે ૪૭ ધ્રુવબંધીમાં ૧૭ પ્રકૃતિના ઉત્કૃષ્ટાદિ ચારેના સાદિ અધ્રુવ બે બે ભાંગા હોવાથી ૧૭×૮=૧૩૬ અને ૩૦ ધ્રુવબંધીના અનુત્કૃષ્ટ બંધના સાદ્યાદિ ચાર, તથા ઉત્કૃષ્ટ જઘન્ય અને અજઘન્ય આ ત્રણ પ્રદેશબંધના સાદિ અધ્વ બે બે એમ દસ દસ ભાંગા થવાથી ૩૦×૧૦=૩૦૦ મળીને ધ્રુવબંધી ૪૭ના ૧૩૬+૩૦૦=૪૩૬ ભાંગા થાય છે. ૪૧૨ તથા ૭૩ અવબંધી પ્રકૃતિઓ તો અવબંધી જ હોવાથી ક્યારેક બંધાય અને ક્યારેક ન બંધાય, અનાદિકાળથી સતત બંધાતી જ નથી. તેથી અનાદિ અને ધ્રુવ ભાંગા થતા જ નથી. ગાથા ૯૦૯૧-૯૨માં જણાવ્યા પ્રમાણે ઉત્કૃષ્ટ અને અનુભૃષ્ટબંધ તથા સૂક્ષ્મનિગોદના ભવમાં ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્ય અને શેષકાળે અજઘન્યબંધ એમ ચારે પ્રકારના બંધના સાદિ-અધ્રુવ બે બે જ ભાંગા થાય છે. માટે ૭૩×૮=૫૮૪ ભાંગા થાય છે. ધ્રુવબંધી અને અવબંધીના મળીને કુલ ભાંગા ૪૩૬+૫૮૪=૧૦૨૦ થાય છે. ગાથા : ૯૪ ઉપર સમજાવ્યા પ્રમાણે મૂલ આઠ કર્મોમાં આયુષ્ય અને મોહનીયકર્મને છોડીને શેષ છ કર્મોનો ઉત્કૃષ્ટપ્રદેશબંધ દશમે ગુણઠાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy