SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ગાથાર્થ - તિર્યંચગતિમાં ૫ ગુણસ્થાનક, દેવ-નરકગતિમાં ચાર ગુણસ્થાનક, મનુષ્યગતિ, સંજ્ઞી, પંચેન્દ્રિય, ભવ્ય અને ત્રસકાયમાર્ગણામાં સર્વગુણસ્થાનક હોય છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, પૃથ્વીકાય, અપ્લાય, અને વનસ્પતિકાયમાં બે બે ગુણસ્થાનક, ગતિ=સ અને અભવ્યમાં એક જ ગુણસ્થાનક હોય છે. તે ૧૯ // વિવેચન - હવે બાસઠ માર્ગણાઓમાં ૧૪ ગુણસ્થાનકો સમજાવાય છે તિર્યંચગતિ માર્ગણામાં મિથ્યાત્વથી માંડીને દેશવિરતિ સુધીનાં પાંચ ગુણસ્થાનક હોય છે ત્યાં ભવસ્વભાવે જ સર્વવિરતિનો સંભવ નથી. તિર્યંચમાં ત્રણ સમ્યકત્વ હોઈ શકે છે. પ્રાથમિક ઉપશમ, અને ક્ષયોપશમ આ બે સમ્યકત્વ તિર્યંચ ગતિમાં પામી શકાય છે. ક્ષાયિક પામી શકાતું નથી. પરંતુ પૂર્વબદ્ધાયુ મનુષ્ય સાયિક પામી યુગલિકતિર્યંચમાં જઈ શકે છે. આ રીતે ત્રણ સમ્યકત્વ હોવાથી ચોથું ગુણઠાણું ત્યાં છે. તથા જાતિસ્મરણાદિ જ્ઞાન થવાથી શ્રાવકનાં કેટલાંક વ્રતો તિર્યંચમાં પણ હોય છે તેથી દેશવિરતિ ગુણસ્થાનક પણ ઘટે છે. છતાં એટલું વિશેષ છે કે તિર્યંચગતિમાં ચોથે ગુણઠાણે ત્રણે સમ્યકત્વ હોય છે. પરંતુ દેશવિરતિ ગુણઠાણે ઉપશમ અને ક્ષયોપશમ એમ બે જ હોય છે ક્ષાયિક સંભવતું નથી. કારણકે ક્ષાયિક યુગલિકમાં જ હોય છે. અને ત્યાં દેશવિરતિ નથી. દેવગતિ અને નરકગતિમાં પ્રથમનાં ચાર ગુણસ્થાનકો હોય છે. ભવસ્વભાવે જ દેવ-નારકીને દેશવિરતિ કે સર્વવિરતિ હોતી નથી. તેથી શેષ ગુણસ્થાનક નથી. સમ્યકત્વ ત્રણે હોય છે. પરંતુ ક્ષાયિક પૂર્વભવથી લાવેલું હોય છે. ઉપશમ ત્યાં બન્ને ભવમાં નવું પામી શકાય છે. ક્ષયોપશમ સમ્યકત્વ બન્ને ભવમાં નવું પામી શકાય છે. પરંતુ પારભવિક ક્ષયોપશમ ફક્ત દેવમાં જ હોય છે. કારણ કે ક્ષયોપશમ સમ્યકત્વ લઈને નરકમાં જવાતું નથી. મનુષ્યગતિ, સંજ્ઞીમાર્ગણા, પંચેન્દ્રિયમાર્ગણા, ભવ્ય અને ત્રસકાય, આ પાંચ માર્ગણામાં ચૌદ ગુણસ્થાનકો હોય છે. આ માર્ગણાઓ સર્વ ગુણસ્થાનકોમાં સંભવી શકે છે. એકેન્દ્રિય, વિલેન્દ્રિય, પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાય, એમ કુલ ૭ માણાઓમાં પ્રથમનાં બે ગુણસ્થાનકો સંભવે છે. ત્યાં મિથ્યાત્વ તો સર્વત્ર હોય જ છે. પરંતુ સાસ્વાદન ગુણસ્થાનક, પૂર્વભવમાં ઉપશમ પામી વમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy