SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ડશીતિ નામના ચોથા કર્મગ્રંથના સરળ ગુજરાતી અર્થાવાળું આ વિવેચન પરમ ઉપકારી એવા શ્રી જૈન સંઘના કર-કમલમાં સમર્પિત કરતાં અમને ઘણો જ આનંદ થાય છે. પ્રથમના ત્રણ કર્મગ્રંથોના વિવેચનો પ્રકાશિત થયા પછી ચોથા કર્મગ્રંથનું વિવેચન પણ સરળ રીતે લખીને પ્રકાશિત કરવામાં દેવ-ગુરુ-ધર્મની કૃપા જ ઉપકારક છે. આ ચોથા કર્મગ્રંથમાં આઠ કર્મના ભેદ-પ્રતિભેદોની પ્રકૃતિઓનાં નામો કે તેને લેવા-મૂકવાના વ્યવહારો નથી. આ કર્મગ્રંથમાં પૂર્વના કર્મ ગ્રન્થો કરતાં કંઇક જુદો જ વિષય છે. કર્મોની વાત અત્યન્ત અલ્પમાત્રાએ જ છે. પરંતુ બીજા જે જે વિષયો સમજાવાયા છે. તે જૈનધર્મના અન્ય શાસ્ત્રોના પરિચય માટે અતિશય આવશ્યક વિષયો છે. આ ચોથો કર્મગ્રંથ મુખ્યત્વે પાંચ ભાગમાં વહેંચાયેલો છે. (૧) ગાથા ૧થી૮ જેમાં સૂક્ષ્મ-બાદર એકેન્દ્રિયાદિ ચૌદ જીવસ્થાનકો સમજાવી, તે ચૌદ જીવસ્થાનકો ઉપર જ જુદા-જુદા આઠ વિષયો સમજાવ્યા છે. જેને આઠ દ્વાર કહેવાય છે. ચૌદ જીવસ્થાનકોમાં કયા કયા જીવસ્થાનકને કેટલાં કેટલાં ગુણ સ્થાનક, કેટલા કેટલા યોગ, કેટલા કેટલા ઉપયોગ, કેટલી કેટલી લેશ્યા, તથા આઠ કર્મોમાંથી કેટલા કેટલા કર્મોના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા હોય, તે વિષય માત્ર ૧ થી ૮ ગાથામાં જ સંકલિત કર્યો છે. આ જાણવાથી દૃષ્ટિ તો વિકાસ થાય છે. અને બુદ્ધિ નિર્મળ થતી જાય છે. (૨) ગાથા ૯ થી ૪૪. જેમાં પ્રથમ મૂલ ૧૪ અને ઉત્ત૨ ૬૨ માર્ગણાઓ સમજાવી છે. ત્યારબાદ આ જ ૬૨ માર્ગણાઓ ઉપર જીવસ્થાનક, ગુણસ્થાનકયોગ-ઉપયોગ-લેશ્યા અને અલ્પબહુત્વ આ છ દ્વારો બહુ વિસ્તારથી સમજાવ્યાં છે. આ સમજવાથી કોઇપણ શાસ્ત્રમાં પ્રવેશ સુખદ થાય છે. તથા કોઇ પણ પ્રકારની થતી ધર્મચર્ચામાં આ માર્ગણાઓ ઉપરનાં દ્વારો જાણવાથી ઉંડો રસ લઇ શકાય છે. કયાં શું હોય? અને કયાં શું ન હોય ? તેની હૈયા સુઝ ખીલે છે. (૩) ગાથા ૪૫ થી ૬૩. જેમાં ચૌદ ગુણસ્થાનકો ઉપર જીવસ્થાનક, યોગ, ઉપયોગ, લેશ્યા-બંધહેતુ-બંધ-ઉદય-ઉદીરણા-સત્તા તથા અલ્પબહુત્વ એમ કુલ ૧૦ દ્વારોનું વર્ણન કરેલ છે. તેમાં ૫૭ બંધહેતુનું વર્ણન ઘણા જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy