________________
કર
શબ્દાર્થ : વાયર=બાદર,
નયનુ=અવિરત સમ્યગુણ૦ સહિત અનિ=અસંજ્ઞી
નિપષે સંજ્ઞી પંચેરુ પર્યાપ્તામાં, વિપત્તેિ વિકસેન્દ્રિયને,
સવ્ય સર્વગુણસ્થાનકો, પન્ન=અપર્યાપ્તા, પઢવિ=પહેલું અને બીજું,
મિચ્છ=મિથ્યાત્વ ગુણસ્થાનક નિપાત્ત=સંજ્ઞી અપર્યાપ્તાને ! સેતુ બાકીના જીવસ્થાનકોમાં
ગાથાર્થ :- બાદર એકેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, અને વિકલેન્દ્રિય આ પાંચ અપર્યાપ્ત જીવભેદોમાં પ્રથમ અને દ્વિતીય એમ બે ગુણસ્થાનક હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તામાં અવિરત સમ્યકત્વ ગુણસ્થાનક સહિત ઉપરોક્ત બે, એમ કુલ ૩ ગુણસ્થાનક હોય છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તામાં સર્વગુણસ્થાનક હોય છે. બાકીના સાત જીવભેદોમાં માત્ર મિથ્યાત્વગુણસ્થાનક જ હોય છે. એ ૩ છે
વિવેચન - બાદર એકેન્દ્રિય અપર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા અને વિકલેન્દ્રિય ત્રણે અપર્યાપ્તા, આ પાંચ જીવભેદોમાં ફક્ત પહેલું અને બીજાં એમ બે જ ગુણસ્થાનકો હોય છે. તેમાં પણ જે આ પાંચ અપર્યાપ્તા કહ્યા તે કરણ અપર્યાપ્તા સમજવા. કારણકે લબ્ધિ અપર્યાપ્તા (કે જે ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કરી અવશ્ય મરી જવાના છે તેવા જીવભેદો)માં સાસ્વાદનભાવવાળા જીવોનો ઉત્પાદ થતો નથી. પરંતુ હાલ જે પ્રથમની પર્યાપ્તિઓ કરી રહ્યા છે. પૂર્ણ કરી નથી પરંતુ આગળ અવશ્ય પૂરી કરવાના જ છે. તેવા કરણ અપર્યાપ્તામાં જ સાસ્વાદનભાવ લઈને જવાય છે લબ્ધિ અપર્યાપ્તા કરતાં કરણ અપર્યાપ્તા કંઈક વિશુદ્ધતર પરિણામવાળા છે તેથી કરણ અપર્યાપ્તા અહીં લેવા. તથા બાદર એકેન્દ્રિય અપર્યાપ્તામાં પણ પૃથ્વીકાય અપૂકાય અને વનસ્પતિકાયમાં જ સાસ્વાદનભાવ હોય છે. તેઉકાયવાઉકાયમાં સાસ્વાદન હોતું નથી.
સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તામાં (અહીં પણ કરણ અપર્યાપ્તામાં જ) મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરત સમ્યગ્દષ્ટિત્વ એમ ૧-૨-૪ કુલ ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org