SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ મ ... rr . .* * * * . - , - - ઉત્તર - મન:પર્યાપ્ત ન હોવાથી મનોવર્ગમાના પુદ્ગલોના ગ્રહણપરિણમન અને નિસર્ગ સ્વરૂપ દ્રવ્યમને એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોને હોતું નથી, અને તેથી જ સંજ્ઞી કહેવાતા નથી. પરંતુ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમ રૂપ ભાવમો હોય છે. તેથી આહારાદિ સંજ્ઞા, કર્મબંધ અને તેના હેતુભૂત અધ્યવસાયસ્થાનાદિ સંભવે છે. પ્રશ્ન-૧૫ દ્રવ્યવેદ અને ભાવવેદ એટલે શું ? તે કયા કર્મના ઉદયથી જન્ય છે ? અને કેટલા ગુણસ્થાનક સુધી હોય છે ? ઉત્તર-પુરુષ આકારે, સ્ત્રી આકારે અને ઉભયના આકારે જે શરીરની રચના છે તે દ્રવ્યવેદ છે. આ આકારરૂપ દ્રવ્યવેદની પ્રાપ્તિ શરીરસંબંધી (ઔદારિક-વૈક્રિય આદિ શરીર નામકર્મ અને તે તે અંગોપાંગ નામકર્મ સ્વરૂપ) નામકર્મના ઉદયજન્ય છે. અને તેથી જ ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે. તથા સ્ત્રી આદિ પાત્રોની સાથે વિષયસુખ ભોગવવાની તમન્નારૂપ ભોગ સુખની અભિલાષા તે ભાવે છે. આ ભાવવેદ મોહનીયકર્મના ઉદયજન્ય છે. તેથી નવગુણસ્થાનક સુધી હોય છે. ઘાતકર્મના ઉદય સ્વરૂપ ભાવવેદ ક્ષય થવાથી નામકર્મના ઉદયજન્ય દ્રવ્યવેદ હોવા છતાં પણ તે અઘાતી કર્મ હોવાથી ત્રણે દ્રવ્યjદવાળા જીવો કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. પ્રશ્ન-૧૬ ગતિત્રસ એટલે શું ? કોને કહેવાય ? અને શા માટે કહેવાય ? ઉત્તર - ગમનક્રિયા માત્રથી જે ત્રસ છે. તે ગતિત્રસ. તેઉકાય અને વાઉકાયને ગતિટસ.કહેવાય છે. અગ્નિ એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર અને બીજા વૃક્ષ ઉપરથી ત્રીજા વૃક્ષ ઉપર ગમન કરે છે. તથા વાયુ સદા વાતો હોવાથી ગમનશીલ છે. માટે ગતિત્રસ છે. પરંતુ પરમાર્થથી તો સ્થાવરનામકર્મના ઉદયવાળા હોવાથી સ્થાવર છે. જ્યારે બેઈન્દ્રિયાદિ જીવો તો સુખ-દુઃખના સંયોગોમાં પોતાની ઈચ્છા પ્રમાણે પ્રવૃત્તિ-નિવૃત્તિવાળા છે. માટે, તથા ત્રસનામકર્મના ઉદયવાળા છે માટે પરમાર્થથી ત્રસ છે. પ્રશ્ન-૧૭ કૃષ્ણ-નીલ-કાપોત લેગ્યામાં ચાર ગુણસ્થાનક હોય કે છ ગુણસ્થાનક હોય ? અને કઈ અપેક્ષાએ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy