SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭. હવે જો એક દાણો અનવસ્થિતમાંથી લઈએ તો આ એક દાણો જે લીપસમુદ્રમાં પ્રલિપ્ત કરતા તે દ્વીપ-સમુદ્રની પહોળાઈ પૂર્વના દ્વીપ-સમુદ્ર કરતાં ડબલ ડબલ છે. તેથી હવે પાછળ લેવાતા અનવસ્થિતનું માપ જેટલું મોટું લહી શકાય તે ન આવે. તે માપ કંઈક નાનું થઈ જાય. માટે અહીં એક એક દાણાની પણ ઘણી જ કિંમત છે. આ પ્રમાણે આ પ્રથમ અનવસ્થિત પ્યાલો ખાલી થાય (ધારો કે ૨૦૦ મા દીપ-સમુદ્ર ખાલી થયો) અને તેનો એક સાક્ષીદાણો નવો શલાકામાં નાખ્યો. ત્યારબાદ શું કરવું ? તે કહે છે. खिप्पइ सलागपल्लेगु सरिसवो इय सलागखवणेणं । पुन्नो बीओ अ तओ, पुव्वंपि तंमि उद्धरिए ॥ ७५।। (क्षिप्यते शलाकापल्ये एकः सर्षपः इति शलाकाक्षपणेन । પૂઃ દિતીયશ તત:, પૂર્વમપિ તસ્મિનુદ્ધરિતે ૭, I શબ્દાર્થ fઉપૂરૂ = નખાય છે, પૂર્ણ ભરાય, સતાપક્સેલુ = શલાકા પ્યાલામાં, | તો = ત્યારબાદ, સરસવો = એક સરસવ, "= પૂર્વના પ્યાલાની જેમ, શ્ન = આ પ્રમાણે, || કિ = તે પ્યાલાનો પણ, સતાવવો =શલાકામાં નાખવા વડે ડરિપુ = ઉદ્ધાર કરવો= પુનો વીમો = બીજો પ્યાલો પણ ખાલી કરવો. ગાથાર્થ - અનવસ્થિત પ્યાલો ઠલવાય છતે એક સરસવનો દાણો શલાકા પ્યાલામાં નખાય છે. આ પ્રમાણે શલાકામાં નાખવા દ્વારા જ્યારે બીજો પ્યાલો પૂર્ણ ભરાય ત્યારે તે બીજા શલાકા પ્યાલાને પણ પૂર્વના અનવસ્થિત પ્યાલાની જેમ જ ઉપાડવો (ઉપાડીને ઠલવવો.) / ૭૫ II વિવેચન - અવસ્થિત પ્યાલો જ્યાં (અસત્કલ્પનાએ ૧૦૦) લીપસમુદ્રમાં ખાલી થયો. ત્યાં સુધીના માપવાળો જે આ અનવસ્થિત પ્યાલો બનાવી, સરસવોથી ભરી, ઉપાડીને ઠલવતાં તેની યાદી તરીકે બહારથી એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy