SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ (૨) વચનયોગમાં પણ આ જ દોષ દેખાય છે કે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થયા પછી જ વચનયોગ આવે. તેથી બેઇન્દ્રિયાદિ ચારે પર્યાપ્ત જ જીવસ્થાનક ઘટે, અપર્યાપ્ત જીવસ્થાનક ન ઘટે, છતાં ચાર પર્યાપ્ત-અને ચાર અપર્યાપ્ત એમ આઠ જીવભેદ કહ્યા તે સંગત નથી. આ કારણથી જ ગ્રંથકારને આ મત જોઈએ તેવો રૂચતો નથી. માટે જ 'અને'' કહીને બીજા આચાર્યો આ પ્રમાણે માને છે એમ કહેલ છે. ૫ ૩૫ ॥ '' હવે બાસઠ માર્ગણાઓ ઉપર ‘લેશ્યા' જણાવે છે. छसु लेसासु सठाणं, एगिंदि असन्निभूदगवणेसु । પદ્મમા ચડશે તિનિ ૩, નારવિધિપવળવુ ॥ ૩૬॥ ( षट्सु लेश्यासु स्वस्थानं, एकेन्द्रियासंज्ञिभूदकवनस्पतिषु । प्रथमाश्चतस्रस्तिस्रस्तु नारकविकलाग्निपवनेषु ॥ ३६ ॥ ) શબ્દાર્થ ઇસુ ખેસાસુ-છ લેશ્યાઓમાં, સવાળું પોતપોતાની લેશ્યા, પઢમા ઘડરો પ્રથમની ચાર, તિનિ ૩= વળી ત્રણ લેશ્યા, નિંદ્રિ= એકેન્દ્રિય, અન= અસંશી પંચે. ' મૂવાવળેતુ= પૃથ્વીકાય, અપ્લાય તથા વનસ્પતિકાયમાં, f।પવનેસુ= અગ્નિકાય અને વાયુકાયમાં. ગાથાર્થ- છએ લેશ્યાઓમાં પોતપોતાની લેશ્મા હોય છે. એકેન્દ્રિય, અસંશી પૃથ્વીકાય, અપ્લાય અને વનસ્પતિકાયમાં પ્રથમની ચાર લેશ્યા હોય છે. તથા નારકી, વિકલેન્દ્રિય, અગ્નિકાય અને વાયુકાયમાં પ્રથમની ત્રણ લેશ્યા માત્ર જ હોય છે. ા ૩૬ ॥ Jain Education International નાય= નારકી, વિગત-વિકલેન્દ્રિય, વિવેચન- કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, પદ્મ, અને શુક્લ એમ લેશ્યા છ પ્રકારની છે. જે જાંબુના વૃક્ષના દૃષ્ટાન્તે જૈન શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. બાસઠ માર્ગણાઓમાં જે છ લેશ્યા માર્ગણા આવે છે. તેમાં એકેકલેશ્યા માર્ગણામાં પોતાના નામવાળી એકેક લેશ્યા હોય છે. કૃષ્ણલેશ્યામાર્ગણામાં કૃષ્ણલેશ્યા, અને નીલલેશ્યામાર્ગણામાં નીલલેશ્યા. ઇત્યાદિ જાણવું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy