SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પ્રથમ કર્મગ્રંથ (૩) શરીરનામકર્મ = જે નાશ પામે, નાશ પામવાને યોગ્ય હોય, શડન, પડન અને વિધ્વંસનને યોગ્ય હોય તે શરીર કહેવાય છે. તે ઔદારિકાદિ પાંચ છે. તેની પ્રાપ્તિ જેનાથી થાય તે શરીરનામકર્મ. ભાવેન્દ્રિયો આત્માનો જ્ઞાન ગુણ હોવાથી જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ મળે છે. માટે ઈન્દ્રિયોની પ્રાપ્તિ માટે આ જાતિનામકર્મ માનવું તે ઉચિત નથી. પરંતુ “આ પણ એકેન્દ્રિય, આ પણ એકેન્દ્રિય, આ પણ એકેન્દ્રિય” ઈત્યાદિ જે સમાનવ્યવહાર થાય છે. તે સમાન શબ્દવ્યવહારની પ્રવૃત્તિમાં કારણભૂત જાતિનામકર્મ છે. જેમ સોના-રૂપા-ત્રાંબા અને માટી આદિના અનેકવિધ ઘડાઓમાં “આ ઘટ છે. આ ઘટ છે.” ઈત્યાદિ સમાનવ્યવહારના કારણે ન્યાયશાસ્ત્રોમાં ઘટવજાતિ માનવામાં આવે છે. તેમ આ પણ સમાનપણે થતા શબ્દના વ્યવહારની પ્રવૃત્તિનું જે નિમિત્તકારણ છે. તે જ જાતિ નામકર્મ છે. કદાચ અહીં કોઈ એવી શંકા કરે કે આવા પ્રકારનો સમાનપણે વ્યવહાર તો ઘણા સ્થળોએ થાય છે. જેમ કે “ આ ઈન્દ્ર છે. આ ઇન્દ્ર છે.” “આ દેવદત્ત છે. આ પણ દેવદત્ત છે.” ઈત્યાદિ ઘણા સમાન વ્યવહાર થતા હોવાથી ઘણી જાતિઓ થઈ જશે, તથા “આ પણ દેવ છે. આ પણ દેવ છે. આ નારકી છે. આ પણ નારકી છે.” ઇત્યાદિમાં દેવ-નારકી આદિપણે સમાન વ્યવહાર થાય છે તો ત્યાં પણ ચારગતિને બદલે ચાર જાતિ જ માનવી પડશે. તેમ માનવાથી શાસ્ત્ર વ્યવહારને બાધા આવશે. તેનો ઉત્તર એ છે કે ખરેખર “સમાન શબ્દવ્યવહારનું કારણ પણ જાતિ નથી, પરંતુ “સમાન ચૈતન્યની પ્રાપ્તિનું કારણ” જાતિ છે. સમાન ચૈતન્ય મળવાથી સમાન શબ્દવ્યવહાર થાય છે. ગમે તેટલા જ્ઞાની આત્માઓ પણ એકેન્દ્રિયમાં જાય ત્યારે એકેન્દ્રિયના ભવને યોગ્ય ચૈતન્યવાળા જ બની જાય છે. અને ગમે તેવો એકેન્દ્રિય જીવ પણ મરીને પંચેન્દ્રિયમાં આવે ત્યારે પંચેન્દ્રિયને યોગ્ય ચૈતન્યવાળો બને જ છે, માટે જાતિનામકર્મના ઉદયથી હીનાધિક ચૈતન્ય મળે છે અને હીનાધિક ચૈતન્યથી સમાન શબ્દવ્યવહાર થાય છે. તેથી જાતિનામકર્મ એ સમાનશબ્દવ્યવહારનું સીધું કારણ નથી. પરંતુ હીનાધિક ચૈતન્યનું સીધું કારણ બન્યું છતું સમાન શબ્દવ્યવહારનું કારણ બને છે માટે કારણનું કારણ હોવાથી એટલે કે પરંપરા-કારણ હોવાથી જાતિનામકર્મને પણ સમાન શબ્દવ્યવહારનું કારણ કહેવાય છે. આ રીતે જાતિનામકર્મથી ઇન્દ્રિયો પ્રાપ્ત થતી નથી. પરંતુ સમાનચૈતન્ય અને તેનાથી સમાનશબ્દ વ્યવહાર પ્રાપ્ત થાય છે. છતાં પ્રથમકર્મગ્રંથના અભ્યાસકાળને ધ્યાનમાં લઈને બાલજીવોના પ્રવેશ માટે ચૂલવ્યવહારથી આમ સમજાવાય છે. (જુઓ કમ્મપયડ, બંધનકરણ ગાથા-૧ પૂ. ઉપાધ્યાયજી કૃત ટીકા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy