SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ૮૧૯ તે તેમની ભૂલ છે. કેમકે ઈતિહાસ કહે છે કે, મહ૦ વિવેકહર્ષગણિ, ૫૦ પરમાનંદગણિ, પં. મહાનંદગણિ, પં. ઉદયહર્ષગણિ વગેરે “તપગચ્છના સાધુઓ” હતા. બાદશાહ જહાંગીરનું ફરમાન પણ તેમને તપાગચ્છના હોવાનું પુરવાર કરે છે. (–જૂઓ ફરમાન ૧૦ મું) પ્રતિષ્ઠા ગચ્છનાયકે પં૦ વિવેકહર્ષગણિને “ઉપાધ્યાયપદ” આપ્યું. તપાગચ્છના ભ૦ વિજયદેવસૂરિએ નગરશેઠ શાંતિદાસ ઝવેરીના દબાણથી સં. ૧૯૭૯માં ખંભાતથી અમદાવાદ વાસક્ષેપ મેકલી પં. મુક્તિસાગર (પ૦ રાજસાગર) ગણિને ઉપાધ્યાય પદ આપ્યું. (–પ્રક. ૫૫, પૃ. ૭૫૪) હવે નગરશેઠ શાંતિદાસ ઝવેરીની ધારણા હતી કે, (૧) ચિંતામણિ પાર્શ્વનાથના સ્થાને તીર્થધામ બનાવીશ, ઉ૦ મુક્તિસાગરગણિને બેએક વર્ષમાં આચાર્ય પદવી અપાવી, તપગચ્છની સાગરશાખાના ભટ્ટારક આ૦ રાજસાગરસૂરિ બનાવીશ અને તેમના વરદ હસ્તે “ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથને માટે જિનપ્રતિષ્ઠા મહોત્સવ” કરાવીશ, પણ તેની એ ધારણા પાર પડી નહીં. કેમકે તપગચ્છના આ૦ વિજયદેવસૂરિ, બીજા નવા આ૦ વિજયાનંદસૂરિ તથા બીજા ગીતાર્થોએ સં. ૧૬૮૧ના પ્ર. ચ૦ ૦ ૯ત્ના રોજ અમદાવાદના કાલુપુરના ઉપાશ્રયમાં તપગચ્છનું મુનિ સંમેલન મેળવી, એક ઠરાવ કર્યો હતો કે મહાઇ ધર્મસાગરગણિવરને ગ્રંથ “સર્વજ્ઞશતક–સટીક અપ્રામાણિક છે. (–જૂઓ પ્રક. ૫૫ પૃ. ૭૩૬) આમ થવાથી નગરશેઠ શાંતિદાસ ઝવેરીને વિચાર થયેકે ઉપાય મુક્તિસાગરગણિને આચાર્ય પદવી અપાવવી હતી. તે કામ હવે તરતમાં જ નહીં પણ લાંબા કાળે પણ બને એવું લાગતું નથી. અને બીજી તરફ તૈયાર થયેલ જિનપ્રાસાદની પ્રતિષ્ઠાને રોકવી તે પાલવે તેમ નથી. નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ આ પ્રમાણે વિચાર કરી સં. ૧૬૮૬ના જેઠ વદિ ૯ ગુરુવારે અમદાવાદના સિકંદરપુર (બીબીપુર)માં અમદાવાદમાં મહેઠ વિવેકહર્ષગણિવરની અધ્યક્ષતામાં મહેર મુક્તિસાગરગણિના હાથે પિતે અમદાવાદમાં તૈયાર કરેલ ભ૦ ચિંતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy