SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૪ જૈન પર પરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રરણ પ્’૦ વિવેકહષ ગણિવર ‘ભક્તામરસ્તાત્ર’ના પાઠ હમેશાં કરતા હતા, તેથી ભક્તામરસ્તોત્રને ’ અધિષ્ઠાયક દેવ તેમના ઉપર પ્રસન્ન હતા. પ૦ વિવેકહુ ગણિએ તેમની સૂચનાથી કચ્છમાં વિહાર કર્યાં. તેમણે સ૦ ૧૬૫૬નું પ્રથમ ચામાસુ ભુજનગરમાં કર્યું. અને સ ૧૬૫૭નું બીજું ચામાસુ રાયપુરબંદરમાં કર્યુ ત્યાં કચ્છ મચ્છુકાંડા પશ્ચિમ પંજાબ, વાગડ, જેસલામ'ડળના રાજા ખેંગારજીના પુત્ર મહાવિદ્વાન્ ભારમલજીની વિનંતિથી ત્યાં પધાર્યા. કચ્છના રાજાએ તેમના ઉપદેશથી રાજયમાં અમારિ પ્રવર્તાવી. તે અમારિન દિવસે આ પ્રકારે હતા.— કચ્છમાં અમારિના ઢઢા ' “કદી પણ ગાય મારવી નહીં. પર્યુષણાપ અને ઋષિપાંચમી એમ ૯ દિવસ, શ્રાદ્ધપક્ષ, મધી અગિયારસે, રવિવાર, અમાસ, મહારાજાના જન્મદિવસ, રાજ્યાભિષેક દિવસ–આ દિવસેામાં કોઇએ કયારેય કાઈ જીવ મારવા નહીં.” આવેા ઢંઢેરા પટાન્યેા. જયપત્રા કચ્છના રાજાએ એક દિવસે પન્યાસજીએ એકવાદમાં વિજય મેળવવાથી પન્યાસજીને સાત જયવાદપત્રા પેાતાની મહેાર મારીને આપ્યાં હતાં. પન્યાસજીએ મલકાપુરમાં વાદી મૂલજીને, મેરીદપુરમાં વાદી દેવજીને, જાલણામાં દિગબરાચાય ને અને રામરાજાની સભામાં વાદી આત્મારામને હરાવ્યા હતા. ભૂજના રાજવિહાર કચ્છના રાજા ભારમલ્લે તેમના ઉપર ભક્તિ હાવાથી ભુજનગરમાં રાજવહાર નામના “ જિનપ્રાસાદ ” મનાવ્યે. પન્યાસજીએ સ૦ ૧૬૫૬માં જેસલા માંડળના ખાખર ગામને ધર્મોપદેશ આપી, ધર્મપ્રેમી બનાવ્યું હતું, ત્યાં રાવ ભારમલના ભાઈ કુંવર પંચાણુ રાજા હતા. તેની રાણીનું નામ પુષ્પાબાઈ હતું અને તેમને દુજોજી, હાજાજી, ભીમજી, દેસરજી, દેવાજી અને કમેાજી વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy