SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૭ પંચાવનમું ] આ૦ હેમવિમલસરિ તે બાબત શાસ્ત્રાર્થ થયે. આ. વિજયદેવસૂરિએ તે સભામાં સાગરપક્ષની નવી પ્રરૂપણાને જૂઠી ઠરાવી વિજય મેળવ્યો. (–તપાગચ્છપટ્ટાવલી, પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૧, પૃ. ૯૪, ૫) આ ઉલ્લેખથી અને બીજા આધારેથી જાણવા મળે છે કે ત્યારે સૂરતને નવાબ માજર મલિક હતે. નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને નવાબ ગાઢ મિત્રો હતા. નવાબે સાગરગચ્છના જેની પ્રેરણાથી સૂરતની રાજસભામાં “સર્વજ્ઞશતક બાબત શાસ્ત્રાર્થ ગોઠવ્યું. અને આ વિજયદેવસૂરિને આ અંગે વિનંતિ કરી. શાસ્ત્રાર્થ આ પ્રસંગ ઊભું થવાથી ભવ્ય વિજયદેવસૂરિના પરિવારના ઉપાય ધનવિજયગણિ, ઉ૦ ધર્મચંદ્ર ગણિ, ઉ૦ લાવણ્યવિજયગણિ, પં. મતિચંદ્રગણિ, પં. માણેકચંદ્રગણિ, પંક ઋદ્ધિવિજય ગણુ વગેરે ગીતાર્થ મુનિવર સૂરત આવી ગયા. ભ૦ વિજયદેવસૂરિએ શાસ્ત્રાર્થ કરવા માટે પિતાના તરફથી મહા ધર્મસાગર ગણિવરનાના શિષ્ય (૫૭) ઉ૦ વિમલસાગરના પ્રશિષ્ય (૫૯) મહ૦ કુશલસાગર ગણિ અને ૫૦ લાભકુશળ ગણિને નિયુક્ત કર્યા. આ રાજસાગરસૂરિએ શાસ્ત્રાર્થ કરવા માટે પોતાના તરફથી પ૦ સત્યસૌભાગ્યચણિને નિયુક્ત કર્યા. શાસ્ત્રાર્થનું સ્થાન રાજસભા હતું. અને મધ્યસ્થ તરીકે સાગર શાખાના જેનેની માગણી મુજબ નવાબ માજર મલિક બીજા વિદ્વાન બ્રાહ્મણે, તથા પંડિત અને મુસલમાનના કાજીઓ વગેરે હતા. બીજા જેન–જેનેજર શ્રોતાઓ હાજર હતા. સૂબાએ શાસ્ત્રાર્થને પ્રારંભ કરવા જણાવ્યું, પં. સત્યભાવ્ય ગણિએ પ્રથમ ફારસીમાં, પાંચ ફકરા લખી સૌની સામે મૂક્યા. મહેક કુશળસાગરગણિએ તેની સામે “સર્વજ્ઞશતકમાંથી વિસંવાદી બેલ કાઢી, ફારસીમાં લખી સૌની સામે મૂક્યા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy