SearchBrowseAboutContactDonate
Page Preview
Page 758
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાવનમું ] આ હેમવિમલસૂરિ ૭૦૧ ગચ્છનાયક સંઘ સાથે વાજતે ગાજતે ભ૦ ઋષભદેવના દેરાસરમાં પધાર્યા. ત્યાં તેમણે (સં. ૧૬૦૮ મ૦ સુત્ર ૫) ગુરૂવારને પુષ્ય નક્ષત્રના યેગમાં પં. ધર્મસાગર ગણિ, ૫૦ હીરહર્ષ ગણિ અને પં. રાજવિમલ ગણિ એ ત્રણેને ઉપાધ્યાયપદવી આપી. સંઘ હર્ષ પામે, પ્રભાવના થઈ સૌ વાજતે ગાજતે ઉપાશ્રયે આવ્યા. ગચ્છનાયકે પિતાની પાટે ગચ્છનાયક તરીકે પહેલાં આ વિજયરાજસૂરિને સ્થાપન કર્યા હતા. હવે બીજે આચાર્ય સ્થાપન કરે તે “ગચ્છભેદ” થાય એ ખ્યાલથી તેમની ઈચ્છા બીજો આચાર્ય સ્થાપન કરવાની નહતી. અને “આચાર્ય પદે સ્થાપવા હોય તે ઉ૦ રાજવિમલગણિને સ્થાપન કરવા.” એવી તેમની ભાવના હતી. ગીતાર્થો અને સંઘે મળીને ગચ્છનાયકને બીજે આચાર્ય સ્થાપવાની વિનંતિ કરી. પણ બીજા ગીતાર્થો તેમ ઈચ્છતા નહતા. “જે કે ઉપરના ત્રણે મહેપાધ્યાયે આચાર્યપદને ગ્યા હતા.” સૌ જાણતા હતા કે, “ગચ્છનાયક ઉ૦ રાજવિમલને પિતાની માટે સ્થાપન કરવાની ઇચ્છા ધરાવે છે.” ઉ૦ ધર્મસાગરગણિને ઉ૦ રાજવિમલ ગચ્છનાયક થાય તે પસંદ ન હતું. તે માત્ર “ઉ૦ હીરહર્ષગણિને તેમની પાટે સ્થાપવા,” એવી તરફેણના હતા. ૧, બહુમાન મહેર ધર્મસાગરગણિને આ. વિજયદાનસુરિ અને આ૦ હીરવિજ્યસુરિ પ્રત્યે બહુમાન હતું. જેમકે – (१) श्रीविजयदानसूरिः मादृशामपि शिष्याणां श्रुतादिदाने वश्रमणानुकारी अनेकवार एकादशाङ्ग पुस्तकशुद्धकारी, किं बहुना ? तीर्थंकर इव हितोपदेशादिना परोपकारी सर्वजनप्रतीतः श्रीहीरविजयसूरयः संप्रति तपागच्छे आदित्यसदृशास्तકુદ્યોતવાત ! (સં. ૧૬૪૮, તપાગચ્છપટ્ટાવલી, વ્યા) –પ૭, વ્યારા નં. ૫૮) (२) श्रीविजयदानसूरीश्वरा बभूवुर्जगद्विदिताः ॥ ८ ॥ तेषां पट्टे संप्रति विजयन्ते हीरविजयसूरीशाः। ये श्वेताम्बरयतीनां सर्वेषामाधिपत्यभृताः ॥ ९ ॥ कलिकालेऽपि प्रकटीकृततीर्थङ्करसमानमहिमानः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy