SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૬૭ પણ રાજ્યની હુંફથી ધાંધલ કરતા હતા. શેઠ જુવાનમલજીએ બારોટોની આંધળી સત્તાને મર્યાદિત કરી. સને ૧૯૦૫ (સં. ૧૯૬૧)–બારોટ હઠીસિંગના દીકરા દીવાસિંગે તા. ૧૦-૪-૧૯૦૫ (વિસં. ૧૯૬૦ ના ચૈત્ર શુદિ ૬ ને મંગળવારે પાલીતાણાથી તળેટીના રસ્તામાં પંજાબી તાર્કિક મુનિ શ્રી દાનવિજયના શિષ્ય મુનિ દીપવિજયજી કે ધર્મવિજયજી ના મેં ઉપર કામળી ઢાંકી ગળું દબાવ્યું, તેમજ તા. ૧૨-૪-૧૯૦૫ (સં. ૧૯૬૦ ના ચૈત્ર સુદિ ૮) ને ગુરુવારે બારેટ તથા ઠા માનસિંહજીના અમલદારે અને અંગરક્ષક વગેરે ૪૦ જણ દારૂ પી, હાથમાં ધોકા લઈ મુનિ દીપવિજયજીને મારવા માટે પહાડ ચડ્યા, તીર્થના ચોકીદારોએ મેટો દરવાજો બંધ કર્યો છતાં ધાંધલ કરનારે જબરજસ્તી કરી દરવાજે ઉઘડાવ્યો. પૂજ્ય ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજીએ દાદાગુરુ આ. વિજય કમલસૂરિ અને પૂ. મ. હંસવિજયજી વગેરેની આજ્ઞા લઈ બારેટોની સામે થઈ બારેટના પડતા ધેકાઓની સામે આડે દાંડે ધરી, પિતાને બચાવ કર્યો. આથી તે ધેકા બારેટેની ઉપર જ પડયા. બારેટની ૨૨ ડાળીઓ ભરાણી, અને પહાડની નીચે ગઈ. ગુરુજીએ મુનિ શ્રી દીપવિજયજીને એ રીતે બચાવી લીધા. ( શ્રી ચારિત્રવિજય, પૃ૦૫૦, ૧૧) ગુરુદેવ દાદાગુરુની આજ્ઞાથી ઘેટીના રસ્તે થઈ સાંજ સુધીમાં બોટાદ જઈ પહોંચ્યા. તે પછી કેસ ચાલ્યું. જેને આ ધાંધલથી બારેટ પ્રત્યે નારાજ થયા અને તેમની અદશા બેઠી. સને ૧૯૦૫–બારોટએ આ ઝઘડાના કારણે આવક ઘટવાથી ગુસ્સે ભરાઈ વિના કારણે આ વિજયવલ્લભસૂરિના શિષ્ય પં. સેહનવિજય જ્યારે તેઓ શહેર બહાર ઠલે ગયા હતા ત્યારે પકડી, હાથ-પગ બાંધી, કાંટાવાળા ખાડામાં ધકેલી દીધા. વિવેકી જેને માને છે કે “શ્રી જૈન સંઘે જૈન મંદિરે આ બારેટેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy