SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ . અચરજ ગુજારી અમારા દરમાં લે ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૧૪૯ સદરહુ શહેરમાં રહેતા મહાજનેમાં લંકા નામની એક કેમ વસે છે. તે કેમ અમારા દરબારમાં આવી, તેણે અમારી મદદ માટે અરજ ગુજારી કે–“શાંતિદાસ, સૂરદાસ વગેરે મહાજને અમારી જોડે ખાનપાનને તથા સગપણને વ્યવહાર રાખતા નથી.” આ ઉપરથી સૂર્ય જેવા પ્રકાશિત દરબારમાંથી એ હુકમ કાઢવામાં આવે છે કે, “ઊંચા દરજજાના શરીઅત તથા દેદીપ્યમાન એવા (અમારા ) ધર્મ પ્રમાણે પરસ્પર ખાવાપીવાને અને સગપણને વ્યવહાર રાખ, એ બંને પક્ષની રાજીખુશી તથા રજામંદી (ઈચ્છા) ઉપર આધાર રાખે છે. તેથી જે એમની તે બાબતની ઈચ્છા હોય તે તેમણે એક બીજા જોડે સગપણને વ્યવહાર બાંધ, તથા પરસ્પર જમવા-ખાવાની છૂટ રાખવી, પણ જે તેમ ઈચ્છા ન હોય તે કઈ પણ શમ્સ કેઈ બીજાને તે બાબત અડચણ કરવી નહીં અને એ સંબંધે કેઈએ કેઈને હેરાન કવું નહીં. તેમ છતાં જો કોઈ કેઈને હેરાન કરશે તો (અમારા) ધર્મ પ્રમાણે તેને ન્યાય થશે, તેથી કેઈએ અમારા ફરમાનથી વિરુદ્ધ વર્તવું નહીં. લખ્યું તારીખ ૨૭ માહે રજબઉલ મુરજબે ગાદીએ બેઠાનું વરસ ૧૮મું તે હીજરી સન ૧૦૩૪. નોંધ:- આ લેખને ઉપરના ભાગમાં એક મોટી ચેરસ મહેર છે, તેમ એક વર્તુલ આકારની મહોર છે. તે વર્તુલની આસપાસ નવ ગોળાકાર મહાર છે અને તે દરેકમાં બાદશાહના વડવાઓનાં તમિર (તૈમૂર) સુધીનાં નામે છે. પાછળ મહમ્મદ દારા શિકોહની મહેર છે. અને ઈસ્લામીખાન મારફત સનદ નીકળી છે. એમ લખ્યું છે. –અનુવાદક વિશેષ નોંધઃ આ ફરમાન એ સમયે જેન સમાજમાં ઉઠેલ એક વાળને ખ્યાલ આપે છે. મુસલમાની યુગમાં દર બીજી–ત્રીજી સદીમાં જૈન સંઘમાં નવા નવા મતવાદે ઊભા થયા. સમાજે તેને સામને કરવા મજબૂત પ્રયત્નો કર્યા. લંકાશાહે “ફેંકામત” ચલાવ્યું. ત્યારે આ વા-વંટેળ ઊઠો હતે. આ ફરમાનથી સમજાય છે કે, નગરશેઠ શાંતિદાસ ઝવેરી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy