SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસમું ] તપસ્વી વીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૪૭ બાટ શાહજહાં (પરિચય માટે જૂઓ-પ્ર. ૪૪, પૃ. ૯) (રાજ્યકાળઃ- હીજરી સન ૧૦૩૭ જમાદિ ઉસ્સાની તા. ૮ થી ૧૦૬૮ રમજાન. તા. ૧૭ સુધી; તા. ૪૨-૧૬ર૮ થી તા. ૯-૬–૧૬૫૮ સુધી; વિ. સં૦ ૧૬૮૪ મહા સુદિ ૧૦ થી વિ. સં. ૧૭૧૫ અષાડ વદિ ૪ સુધી) ફરમાન નં. ૧૪ થી ૧૭ બાદશાહ જહાંગીર, તેના પુત્ર-પૌત્રે શેઠ શાંતિદાસ ઝવેરીને બહુ માનતા હતા. બાદશાહ શાહજહાંએ અમદાવાદના શેઠ શાંતિદાસ ઝવેરીનેફ૦ ૧૪ (૧) શેઠના મકાન વગેરેની રક્ષા. ફ૦ ૧૫ (૨) જ્ઞાતિ વ્યવહારની સ્વતંત્રતા. ફ૦ ૧૬ (૩) ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રાસાદ શેઠને પાછા આપવાની આજ્ઞા. ફ૦ ૧૭ (૪) શત્રુંજય પહાડ-પાલીતાણું ભેટ આપવાનો હુકમ. -એમ ચાર ફરમાને આપ્યાં. હતાં. (જૂઓ, મેગલ ફરમાને નં૦ ૧૪ થી ૧૭) બાટ શાહજહાં હીજરી સનના જમાદિ ઉસ્સાની (બીજો) મહિનાની તા. ૧ થી પિતાને જુલસ સન મનાવતો હતો. તેથી તેના જુલુસ સન અને ઈલાહી સનમાં મોટું આંતરું પડતું હતું. તેના જુલુસ સનમાં આશરે ૭૦ મેળવવાથી ઈલાહી સન બનતે હતે. ઉપરની વિગતનાં ચાર ફરમાને ગુજરાતના સૂબા શાહજાદા મહમુદ ઔરંગઝેબ, શાહજાદા મહમુદ દારા શિકોહ તથા શાહજાદા મુરાદબક્ષની સૂબાગીરીમાં આપવામાં આવ્યાં હતાં. (આ ફરમાનેના ગુજરાતી અનુવાદ માટે જૂઓ-સને ૧૯૨૪ની ભાવનગર-ગૂજરાતી સાહિત્ય પરિષદુને રિપોર્ટ તથા જૈન સત્યપ્રકાશ, કમાંકઃ ૯૮, પૃ૦ ૪૭ થી ૫૪) ફરમાન ચૌદમું બાટ શાહજહાંનું નગરશેઠના મકાન વગેરેની રક્ષાનું ફરમાન ગુજરાતના સૂબાના હાકેમને માલૂમ થાય કે સતિદાસ (શાન્તિદાસ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy