SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ તાલીશમું ] આ૦ સેમપ્રભસૂરિ, આ મણિરત્નસૂરિ ૭૫૮ ' (૧૩) સુપ્રસિદ્ધિ આગમવેદી આ૦ સાગરાનંદસૂરિના પટ્ટધર આવે માણિજ્યસાગરસૂરિ, જેઓ પરમ શાંત અને વિદ્વાન છે, તેઓ આગમના ઊંડા અભ્યાસી પણ છે. તેઓ પણ સં. ૧૯૯૦ ના અમદાવાદના મુનિસમેલનમાં ગુરુદેવ સાથે વિદ્યમાન હતા. આ૦ સાગરાનંદસૂરિએ સં. ૧૯૧૨ ના વિશાખ સુદિ ૪ ને શનિવારે પાલીતાણામાં (૧) આ૦ માણેકસાગરસૂરિ, (૨) આ વિજયતિલકસૂરિ, (૩) આ. વિજયકુમુદસૂરિ, (૪) આ. વિજયપ્રભસૂરિ એમ ચાર આચાર્ય બનાવ્યા હતા. (૧૪) વિજયમાણિસિંહસૂરિ–તે જૈન યાતિસંસ્થાના પણ પ્રેમી હતા. તેઓ વિદ્વાન હતા, આગમના અભ્યાસી હતા. સં. ૧૯૦ માં અમદાવાદમાં અખિલ ભારતવર્ષીય જૈન મુનિસમેલન મળ્યું, તેમાં તે નવા વિચાર ધરાવનારાઓના મુખ્ય પક્ષકાર હતા. તેમની તરફના પ્રશ્નો અને આગમવેદી આ૦ સાગરનંદસૂરિના સમાધાનના સંઘર્ષમાં સૌ મુનિવરેને ઘણું જાણવાનું મળ્યું હતું. તે શાસ્ત્રીય ચર્ચા ઊભી કરી શકતા હતા. તેમણે ગુજરાતીમાં વિવિધ પૂજાએ બનાવી છે, જે ઘણી લોકપ્રિય બનેલી છે. આ૦ હરિભદ્ર, આ૦ બાલચંદ્ર, આ૦ પ્રદ્યુમ્નસૂરિ–એ બધા રાજગછના આચાર્યો હતા. સં. ૧૨૯૭. (–પ્રક. ૩પ, પૃ૦ ૧૭, ૩૨) આ૦ બાલચંદ્ર “વસંતવિલાસકાવ્ય” રચ્યું છે. આ૦ પદ્મપ્રભસૂરિ, આ સિંહતિલકસૂરિ–તેઓ રાજગછના આચાર્ય હતા. સં. ૧૨૯૪, સં. ૧૩૨૬. (–પ્રક. ૩૫, પૃ. ૨૮, ૩૦) આઠ વર્ધમાન–વડગચ્છની ૪ થી સુવિહિત શાખાના નં. ૪૨ મા આચાર્ય હતા. સં. ૧૩૧૮ માં તેમના દિલમાં શંખેશ્વર તીર્થ પ્રત્યે અત્યંત ભક્તિ હતી. મંત્રી વસ્તુપાલ-તેજપાલ પ્રત્યે ગુણાનુરાગ હતો. આયંબિલ તપ પ્રતિ ભારે આસ્થા હતી. - (પ્રક. ૩૬, પૃ. ૨૨૫) આ૦ મલયમભ, આ સમંતભકતેઓ વડગચ્છના આચાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy