SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ બેતાલીશમું ] આ વિકિસૂરિ કરાવ્યું અને મંદિર પૂરું બંધાઈ ગયું. આ વાદિદેવસૂરિએ આ૦ જિનચંદ્રને ફધિ મોકલ્યા. શ્રીસંઘે તેમના વાસક્ષેપથી સં. ૧૨૦૪ ના માહ સુદિ ૧૩ ને શુક્રવારે ભ૦ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી, કળશ, ધજાદંડ ચડાવ્યા. - સંભવ છે કે, આ ઉત્સવમાં રાજગછના મુનિવરે પણ પધાર્યા હશે. આ રીતે આ તીર્થ આ વાદિદેવસૂરિના વાસક્ષેપથી સ્થાપન થયું. તેમના પટ્ટધર આહ મહેદ્રસૂરિએ સ્તોત્ર રચ્યું છે. પંસોમધર્મ ગણિના જણાવવા મુજબ શેઠ મુનિચંદ્ર આ પ્રતિષ્ઠાને લાભ લીધો હતે. તે પછી શેઠ દસાઢે સં. ૧૨૧ ના માહ સુદિ ૬ ના દિવસે અહીં ચિત્તોડી સીલવટ તથા ચંદ્ર અર્પણ કર્યા. (–જેનસત્યપ્રકાશ, કમાંક : ૪૭, પૃ. ૧૬૧) આ૦ જિનપ્રભસૂરિ લખે છે કે, શાહબુદ્દીન આ પ્રતિમાને તોડવા આવ્યો હતો. તેણે ચૈત્યને નુકશાન કર્યું, પણ પ્રતિમાને તેડી નહીં અને જાહેર કર્યું કે, “gat ટેવમાસ વેળવિ મેળો ન થવો ” સંઘે મંદિરને તોડેલા ભાગને તરત સમરાવી લીધો. આ ઘટના સં૦ ૧૨૩૪ માં બની હતી. મહેર જિનપાલ લખે છે કે, “સં- ૨૨૨ ૪ વર્ધિજા વિધિचैत्ये पार्श्वनाथः स्थापितः' (–ગુર્વાવલી) આ ઉલ્લેખ ઉપરથી અનુમાન થાય છે કે, તે સમયે આ તીર્થમાં બીજું મંદિર બન્યું હશે. અથવા ખરતરગચ્છીય આમ્નાયનું જૂદું મંદિર બન્યું હશે અને તેમાં પ્રતિમાઓ સ્થાપના કરી હશે. ગમે તે હે, પણ શાહ બુદ્દીને તીર્થ પ્રતિમાને તોડી નથી, એટલે તેની ફરી પ્રતિષ્ઠા થઈ નથી. ખરતરગચ્છની પટ્ટાવલીઓમાં ફલેધિને તાવતિત તીર્થ બતાવ્યું છે. આ વાદિદેવસૂરિની એક પરંપરા “નાગોરી તપા” એવા નામથી પણ પ્રસિદ્ધ હતી માટે જ એ શબ્દો લખ્યા હોય એમ લાગે છે. મહ૦ માકલ્યાણે પણ ફલવધિ તીર્થની સ્થાપના આ૦ વાદિદેવસૂરિના હાથે થયાનું જણાવ્યું છે. (-પર્વકથા) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy