SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ દ્રિકતિલક’ અને ‘સ્વપ્નચિંતામણિ (લે. ૩૨૧) નામે ગ્રંથો રચ્યા છે. (પ્રક. ૩૮, પૃ૦ ૩૯૬) * * * * (૧) મંત્રી જગદેવ– મંત્રી સજજન અને મંત્રી આંબાની પછી મંત્રી જગદેવ શ્રીમતી સં. ૧૨૦૮ લગભગમાં કર્ણાવતીને સૂબે હતે. પછીથી તે સૌરાષ્ટ્રને દંડનાયક બન્યા. તે જાણે રાજા કુમારપાલનું જ બીજું તેજ હોય તે પ્રતિભાશાળી હતો. તેને અભયદેવ નામે પુત્ર હતે. અને વસંતપાલ નામે પૌત્ર હતા. વસંતપાલ પણ રાજકુમાર જે દેખાવડો હતો. તેણે દાદા જગદેવની આજ્ઞાથી સં. ૧૨૫૬ ચૈત્ર સુદિ ૧૩ ને શુક્રવારે ગિરનાર તીર્થ ઉપર નંદીશ્વરને પટ્ટ કરાવ્યું અને તેની (રાજગચ્છના) આઇ ચંદ્રસૂરિના શિષ્ય આ જિનેશ્વરના શિષ્ય આવે દેવેન્દ્ર પાસે પ્રતિષ્ઠા કરાવી. (-ગુજરાતના ઐતિહાસિક લેખ, ભા. ૩, પૃ૦ ૧૨ - રાજવિજ્ઞપ્તિકા, લેખપદ્ધતિ પ્રક. ૩૫, પૃ. ૨૭) કે મંત્રી યશધવલ બાલકવિ જગદેવ– તે વારાહીને શ્રીમાળી જૈન હતું. રાજા સિદ્ધરાજના સમયે તે ખજાનાનો મંત્રી હતા. રાજા કુમારપાલના સમયે મહામાત્ય પદને ઉપર હતો. આ૦ વાદિદેવસૂરિના આ૦ જિનભદ્ર સં૦ ૧૨૧૮માં પાટણમાં તેના મહામાત્યપણુમાં “ક૯૫ચૂણિીની તાડપ્રતિ લખાવી. સં. ૧૨૨ના પોષ સુદિ ૧૫ ને ગુરુવારે ઉદયપુર (ગ્વાલિયર)ના શિલાલેખમાં પણ તેને મહામાત્ય બતાવ્યો છે. બાળકવિ જગદેવ—તેને જગદેવ નામે પુત્ર હતું, તે કવિ હતા. કટ સત્ર આ૦ હેમચંદ્રસૂરિએ તેની કવિતાથી પ્રસન્ન થઈ તેને બાળકવિ'નું બિરુદ આપ્યું હતું. તે ધર્માષગચ્છની શ્રમણોપાસક સમિતિને વડો હતો. આ મુનિરત્નસૂરિને ભક્ત હતા. તેણે ઉજ્જૈનમાં રાજા નરવર્મની સભામાં શિવવાદીને હરાવ્યું હતું. આ * * * * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy