SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૭૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ . ૩. આશ્વદેવ—તેની પત્નીનું નામ રેણુકા હતું. . ૪. દેવચંદ્ર–તેની પત્નીનું નામ પદ્મિની હતુંતેને (૧ આંબડ, (૨) જલણ, (૩) આહૂલાદન અને (૪) પ્રહૂલાદન એર ચાર પુત્રો હતા. આ ચારે ભાઈએ રાજ્યના જુદા જુદા ખાતાન - મંત્રીઓ હતા. ૫. આહૂલાદનમંત્રી આંબડ સં. ૧૨૯૬ માં રાજા ભીમ દેવને મહામાત્ય હતો અને આહલાદન દંડનાયક હતો. આંબડ સં. ૧૨૯૬ માં મરણ પામ્યો એટલે મંત્રી આલાદન મહામાત્ય બને. મંત્રી આહૂલાદન થરાદમાં રહેતો હતો. તેણે સાચેરમાં વીર ત્યમાં ભ૦ ઋષભદેવની તથા થરાદના આદિનાથ ચૈત્યમાં ભ૦ પાર્થ નાથ, ભ, ચંદ્રપ્રભ, ભ૦ સીમંધરસ્વામી, ભ૦ યુગમંધરસ્વામી, દેવી સરસ્વતી અને અંબાદેવીની મૂર્તિઓ પધરાવી. વટેસર તથા સંખેડામાં જિનમંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું, નવી પ્રતિમાઓ ભરાવી, ફરી પ્રતિષ્ઠા કરાવી. આઠ વર્ધમાનસૂરિના ઉપદેશથી ભ૦ વાસુપૂજ્ય ના દેરાસરને જીર્ણોદ્ધાર કરાવ્યો. નાગૅદ્રગચ્છના ઉપાશ્રયને જણે દ્ધાર કરાવ્યો. વિવિધ ગ્રંથ લખાવ્યા. આઠ વર્ધમાનસૂરિ પાસે સં૦ ૧૨૯૯માં વિનંતિ કરીને “વાસુપૂજ્યચરિત્ર', સર્ગઃ ૪ ની રચના કરાવી અને પોતે પણ પાર્શ્વનાથસ્તવન, લેક: ૧૦ રચ્યું, જેમાં તેમણે જણાવ્યું છે કે, “ મ નમન્નિઘરમ9મો ” (-જૈનસ્તત્ર દેહ, ભા. ૨, સ્તોત્રઃ પર) (વાસુપૂજ્યચરિતપ્રશસ્તિ, મહાપુરિસચરિયપુષ્પિકા, મંત્રાધિ રાજચિંતામણિ સ્તોત્ર, નં૦ : પર, પ્રક. ૩૫, પૃ. ૫) મંત્રી નાહડ– વનવાસીગના (૧૭) આ૦ વૃદ્ધદેવસૂરિ, વડગચ્છના (૩૭) આ દેવસૂરિ કે (૪૧) આ૦ વાદિ દેવસૂરિના ઉપદેશથી કેરટાને મંત્રી નાહડ વગેરે જેન બન્યા હતા એમ મનાય છે. (-પ્રક. ૧૭, પૃ. ૩૪૭, પ્રક. ૪૧, પૃ. ૫૭૩) આ વાદિ દેવસૂરિએ કેરટામાં મંત્રી નાહડ, મંત્રી સલિગ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy