SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાલીશમું ] આ અજિતદેવસૂરિ સત્રાગાર'નું બિરુદ હતું. તેણે તથા મંત્રી સામંતસિંહે મંત્રી વસ્તુ પાલની જેમ વિષ્ણુ મંદિર વગેરે બંધાવ્યાં હતાં. તેથી કઈ કઈ વિદ્વાને તેને માહેશ્વર માને છે. બનવાજોગ છે કે તેણે રાજા અજય પાલના દબાણથી આવું મિશ્ર વલણ અખત્યાર કર્યું હોય. જોળકાના રણછોડજીના મંદિરમાં ઉદયનવિહારને લેખ છે એ પણ એક સૂચક ઘટના છે. (–પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ, પ્રબંધસંગ્રહ, પ્રબંધ કેશ, ઉપદેશસારસટીક, કુમારપાલપ્રબંધ, પ્ર. ૪૧; જેનસત્યપ્રકાશ, કમાંકઃ રરર, ૨૨૫) (૪) મંત્રી સજજન सङ्घाधिपत्यादिपदप्रतिष्ठासमन्वितैभव्यजनैर्विशालः । दानादिपुण्योदयजन्मभूभिः श्रीमालवंशो विदितो जगत्याम् ॥ (જેનપુસ્તકપ્રશસ્તિસં. પ્ર. ૬૧) જાંબ વનરાજ ચાવડાના મંત્રી તરીકે પ્રસિદ્ધ હતો. તે જાંબના વંશમાં શ્રીમાલી મહંતુ શરિંગ થયે. તેને ત્રણ પુત્રો હતા. (૧) સજજન, (૨) આંબાક અને (૩) ધવલ. મંત્રી સજજન એક વાર ઉંદિશથી ખંભાત જતો હતો. વચ્ચે સકરપુરમાં એક ભાવસારને ત્યાં ઊતર્યો. ભાવસારના ઘરમાં કડાઈમાં સેનામહેરે ભરેલી હતી, પણ તે તેને કોલસા સમજતો હતો. સજજને પૂછયું કે, “ભાઈ ! સેનામહોરો આમાં કેમ રાખી છે?” ભાવસાર સજજનને ભાગ્યશાળી માની તે બધી સોનામહોરો તેને આપી દીધી, પરંતુ સજજનને પ્રતિજ્ઞા હતી કે બીજાની વસ્તુ લેવી નહીં. તેથી સજજને તે સોનામહોર રાજા સિદ્ધરાજને આપી દીધી. રાજા સજજનને શુદ્ધ નિતિક ભાવનાવાળે અને શુદ્ધ શ્રાવક જાણીને ખુશ થયે. તેને રાજ્યમાં ઊંચે હો આપવાનો પણ નિર્ણય કર્યો. રાજા સિદ્ધરાજે સં. ૧૧૭૦ માં ” ખેંગારને હરાવ્યા અને તેના મરણ બાદ અહામાત્ય વાહડના કહેવાથી સજજનને સૌરાષ્ટ્રને દંડનાયક નીયે. તેણે સૌરાષ્ટ્રને ઉન્નત બનાવ્યું. ગિરનારના પહાડ ઉપર ભ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy