SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ જૈન પર પરાનેા પ્રતિદ્વાસ-ભાગ ૨જો [ પ્રકરણ ના વૈશાખ સુદિ ૧૨ના રોજ આ૦ વાદિદેવસૂરિના હાથે ૫ આંગળ ઊંચી ભ॰ ઋષભદેવની પિત્તલની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી, જે સ્થાન ‘રાજવિહાર’ નામથી પ્રસિદ્ધિ પામ્યું. (-જૂએ ચાલુ પ્રકરણ પૃ૦ ૫૭૦, ૫૭૧) એક વાર ભાગવતમતના આચાય એધ પાટણમાં આવ્યા, જે સિદ્ધ સારસ્વત' વિદ્વાન હતા. રાજાએ તેને રાજસભામાં પધારવા આમત્રણ આપ્યું. તેણે ઉત્તર વાળ્યા કે, ‘કાશીનરેશ અને કનેાજના નરેશા જોયા છે. તે આ નાનકડા ગુજરાતને રાજા શી વિસાતમાં છે ?’ તેણે રાજવીનુ આમત્રણ પાછુ ઠેલ્યું. રાજ રાજકવિ શ્રીપાલને સાથે લઈ તેને મળવા ગયા અને ૫૦ દેવળેાધની સામે જ જમીન ઉપર બેસી ગયા. દેવબેધે કવિચક્રવતી શ્રીપાલની મશ્કરી કરી એટલે એ અને વિદ્વાનેા વચ્ચે ઝગડા થયા. રાજાએ દેવબોધને કાઈ રકમ ભેટ ન કરી. સિદ્ધરાજે બંધાવેલા રાજવહારમાં સ૦ ૧૧૮૩માં ભ૦ ઋષભદેવના પ્રતિષ્ઠામહાત્સવ હતા. એ ઉત્સવમાં દેખેધે હાજરી આપી સૌને પાતાના પાંડિત્યથી આશ્ચર્યચકિત કરી નાખ્યા. તેમણે એ વાત તટસ્થપણે સ્પષ્ટ જણાવી કે~શંકર જેવા કેાઈ રાગી નથી, કેમકે તે સદા અર્ધાંનારીશ્વર બની રહે છે. જિનેશ્વર જેવા કોઈ વીતરાગ નથી, કેમકે તે નારીના સંગથી રહિત છે. ખીજાઓ વચગાળાના છે જે વિષયભાગને પૂરા સેવી શકતા નથી અને તેને સર્વથા છેાડી શકતા નથી.’ રાજા સિદ્ધરાજે ખુશ થઈ ૫૦ દેવમેાધને લાખ દ્રવ્ય આપ્યું. બીજી તરફ તે સુરા પીતા હતા એ વાત વિરાજ શ્રીપાલે ગુપ્તચરા દ્વારા જાણીને રાજાને પણ વાકેફ કર્યાં હતા. આથી રાજાએ તેને ધન આપવું અંધ કર્યું. ૫૦ દેવબેાધને ખર્ચ લખલૂટ હતા એટલે તે ત્રણ વર્ષમાં સાવ નિર્ધન જેવા બની ગયા. હવે તેણે આ૦ શ્રીહેમચંદ્રસૂરિને મળવાનુ ગાઠવ્યું. કવિરાજ શ્રીપાલે આચાર્યશ્રીને વિનતિ કરી કે, ‘આપે ૫૦ દેવળેાધને મળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy