SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૪૨. આ જિનેશ્વરસૂરિ—તેઓ મરેઠના નેમિચંદભંડારી અને તેમની પત્ની લક્ષ્મીદેવીના અંબડ નામે પુત્ર હતા. તેમને સંતુ ૧૨૪પ ને માગશર સુદિ ૧૧ ના રોજ ભરણી નક્ષત્રમાં જન્મ થયો હતે. સં૦ ૧૨૫પમાં ખેડમાં દીક્ષા થઈ ત્યારે તેમનું નામ મુનિ વીરપ્રભ રાખવામાં આવ્યું. સં. ૧૨૭૮ ના માહ સુદિ ૬ ના રોજ જાલોરમાં આ૦ સર્વદેવના હાથે આચાર્ય પદવી થઈ ત્યારે આ જિનેશ્વર નામ રાખવામાં આવ્યું અને સં૦ ૧૩૩૧ ના આ વદિ દ ને રેજ જાલેરમાં અનશનપૂર્વક સ્વર્ગગમન કર્યું. લગભગ ૩૩ વર્ષની ઉંમરે તેઓ આચાર્ય થયા પણ જ્ઞાનવાળા નહેતા આથી તેમને સરસ્વતી નદી ઓળંગ્યા પછી પાટણમાં પ્રવેશ કરતાં પિતાની અજ્ઞતા માટે ખેદ થયે. આથી પિતાનું મરણ થાય તે સારું એ વિચાર પણ આવ્યું. આ કારણે સરસ્વતી દેવીએ પ્રસન્ન થઈ તેમને વિદ્યાનું વરદાન આપ્યું. તેમણે પાટણમાં જઈ_મતો મત્ત ” સ્તુતિ કલેક રચ્યું. સરસ વ્યાખ્યાન આપ્યું. આ ઘટનાને ઉલેખ “યુગપ્રધાનાચાર્ય-ગુર્નાવલી'માં છે પણ અર્વાચીન “વૃદ્ધાચાર્ય-પ્રબંધાવલી”માં નથી. ખરતરગચ્છના પટ્ટાવલીકાએ આ જિનેશ્વરનું સ્થાન ઊંચું બનાવવા માટે કઇ સહ આ હેમચંદ્રસૂરિ તથા ગૂજરેશ્વર કુમાર પાલ મહારાજા માટે મનગઢત ઘટનાઓ જોડી દીધી છે, જે વસ્તુ “યુગપ્રધાનાચાર્ય-ગુર્નાવલી”માં કે “વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી માં નથી. વસ્તુતઃ પટ્ટાવલીકારે ગચ્છના રાગમાં તણાઈને ઐતિહાસિક સત્યને સર્વથા ભૂલી ગયા છે. આ જિનેશ્વરસૂરિ તો જરેશ્વર કુમારપાલના મરણ બાદ ઘણાં વર્ષો વીત્યા પછી જમ્યા હતા અને બીજી તરફ આ જિનેશ્વરના શિષ્યએ ક સત્ર આ૦ હેમચંદ્રસૂરિના ગ્રંથ ઉપર વિવરણે રચ્યાં છે, ત્યારે કબૂલ કરવું પડે કે, આ જિનેશ્વરના પરિ. વારને કટ સત્ર હેમચંદ્રસૂરિ પ્રત્યે બહુમાન હતું. રુદ્રપલ્લીય આ૦ સેમતિલકે “કુમારપાલદેવચરિત” ની રચના પણ કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy