SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ ઉપકેશગ૭ના ચૈત્યવાસીઓનું નામ કેમલગ૭ (કંવલાગ૭) પડયું. જેમ બૌદ્ધોને ભારત છોડ્યા પછી વધુ લાભ થયો તેમ આ જિનદત્તસૂરિને ગુજરાત છોડ્યા પછી વધુ લાભ મળે. તેઓ મારવાડના તે કલ્પવૃક્ષ તરીકે જાહેર થયા. તેમણે ખરતરગચ્છને સ્વતંત્ર સામાચારી આપી છે, જેના કેટલાએક નિયમ નીચે મુજબ છે— ભ૦ મહાવીરનાં છ કલ્યાણક માનવાં, પાંચ નદીની સાધના કરવી, આચાર્ય સિવાય બીજો કોઈ તીર્થકરની પ્રતિષ્ઠા ન કરે. સ્ત્રી પૂજા ન કરે, દેરાસરમાં નર્તકી નાચે નહીં, ચતુષ્પવી સિવાયના દિવસોમાં પૌષધ થાય નહીં, પૌષધમાં આહાર લેવાય નહીં, આયંબિલમાં બેથી વધુ ચીજોને ઉપગ ન થાય. સામાયિકમાં ૩ શનિ મંતે બોલવાં અને તે પછી રૂરિયાવહી સૂત્રપાઠ બેલ. તિથિ વધે તે પહેલી તિથિને માનવી, ચૌદશ ઘટે તે પૂનમે પાખી કરવી, શ્રાવણ વધે તો બીજા શ્રાવણમાં સંવત્સરી કરવી. ભાદરે વધે તે પહેલા ભાદરવામાં સંવત્સરી કરવી વગેરે. (–ઉસૂત્રદ્ઘાટનકુલક, ગાથાઃ ૧૮, પજ્ઞ અવસૂરિ) આ જિનદત્તે પાંચ નદીના પાને-દેને ખરતરગચ્છના અધિઠાયક બનાવ્યા. તેઓને સાત વચન આપ્યાં અને તેઓની પાસેથી १. वि० सं० १२०४ वर्षे पत्तने पौषधशालिवनवासिनोविवादः कवलांगच्छः खरतरगच्छश्चेति नामनी अभूताम् । -પૂરણચંદજી નાહર સંગૃહીત પટ્ટાવલી, જૈન વેતાંબર કોન્ફરન્સ હેરડ, પુસ્તકઃ ૧૪, અંક: ૪, ૫, ૬, પાનું ૧૬૩; પટ્ટાવલી સમુચ્ચય, ભા. ૧, પૃ. ૫૬) २. कल्पद्रुर्मरुमण्डले स जयति श्रीजैनदत्तो गुरुः । मरुस्थलीकल्पतरुः स जीयाद् युगप्रधानो जिनदत्तसूरिः ॥५१॥ –વૃધાચાર્ય પ્રબંધાવલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy